________________
અઘાતિ બન્નેના ચાર ચાર ભેદા છે. એટલે કર્મના મુખ્ય આઠ. ભેદ બતાવવામાં આવ્યા છે. ૧ જ્ઞાનાવરણીય જેને આંખ ઉપર બાંધેલા પાટાની ઉપમા
આપવામાં આવી છે. અર્થાત આખે પાટો બાંધેલો માણસ, જેમ કે પદાર્થ જોઈ શકતો નથી. તેવી રીતે જેને “ જ્ઞાનાવરણીય ” કર્મરૂપી પડદે આત્માની ઉપર આચ્છાદિત થયેલ
છે, તેનું જ્ઞાન ઢંકાલું રહે છે. ૨ દર્શનાવરણીય–અને દરવાનની ઉપમા આપવામાં આવી
છે. રાજાની મુલાકાત કરાવવામાં જેમ દરવાન વિઘભૂત થાય છે,
તેમ આ કમ વસ્તુતત્વને જોવામાં બાધક થાય છે. ૩ મોહનીય–આ કર્મ મદિરાસમાન છે. મદિરાથી બેભાન થયેલ
માણસ ભાન ભૂલી ચંદા તદા બકે છે, તેમ મેહથી મસ્ત બનેલા
માણસ કર્તવ્યાકર્તવ્યને સમજી શકતું નથી. ૪ અન્તરાય-આ રાજાના ભંડારી જેવું છે. રાજાની ઇચ્છા દાન
કરવાની હોય, પણ ભંડારી બહાનાં કાઢી દાન ન દેવા દે, તેમ
આ કર્મ શુભ કાર્યોમાં વિઘભૂત થાય છે. ૫ વેદનીય-મનુષ્ય સુખ-દુ:ખને જે અનુભવ કરે છે, તે આ
કર્મના પરિણામે. સુખ એ શાતા વેદનીય કર્મનું પરિણામ છે,
અને દુઃખ એ અશાતાદનીય કર્મનું. ૬ આયુષ્યકર્મ–જીવનને ટકાવી રાખનારૂં કર્મ એ આયુષ્ય કર્મ
છે. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકનું આયુષ્ય પ્રાપ્ત થવું એ
આ કર્મનું ફળ છે. ૭ નામકર્મ–સારી ગતિ, સારૂં શરીર, પૂર્ણ ઈદ્રિય પ્રાપ્ત થાય છે,
એ શુભનામકર્મના કારણે અને ખરાબગતિ, ખરાબ શરીર અને
ઈનિી હીનતા એ અશુભ નામકર્મના કારણે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com