Book Title: Parmamand Kutark Samiksha
Author(s): Vijaybhadrasuri, Jainakvijay
Publisher: Bhogilal Karamchand Shah

View full book text
Previous | Next

Page 28
________________ માનવું આવશ્યક છે કે જગત અને ઈશ્વર બને અનાદિ છે. એની કોઈ આદિ નથી. અનાદિ કાળથી આ વ્યવહાર ચાલ્યો આવે છે. આ વિષયમાં જિનદર્શનમાં સતત स्याद्वादरत्नाकर, अनेकान्तजयपताका, रत्नाकरावताરિકા, રશિપિંગ આદિ અનેક ગ્રંથોમાં તેનું વિસ્તારથી સ્પષ્ટીકરણ કરેલું છે, વિદ્યાનેને તે જોવાની ભલામણ કરું છું, કર્મ ઉપર ઈશ્વરના વિવેચનમાં કમને ઉલ્લેખ કરવામાં આવે છે, કે જે કર્મને સર્વથા ક્ષય થવાથી કોઈ પણ આત્મા ઇશ્વર બની શકે છે. આ “કમ ” શી વસ્તુ છે, એ સંક્ષેપમાં બતાવવાને પ્રયત્ન કરીશ. “છ” “આત્મા’ એ જ્ઞાનમય અરૂપી પદાર્થ છે. તેને વળગી રહેલ સૂક્ષ્મ મલાવરણ, તેને “કમ' કહેવામાં આવે છે. કમ એ જડ પદાર્થ છે-પગલિક છે. કર્મનાં પરમાણુઓને કર્મનાં “ળ” કે દળિયાં કહેવામાં આવે છે. આત્મા ઉપર રહેલી રાગ-દ્વેષરૂપી ચિકાશના કારણે આ કર્મનાં પરમાણુઓ આત્માને વળગે છે. આ મળાવરણ-કર્મ છવને અનાદિ કાળથી વળગેલ છે. તેમાંથી કોઇ છઠ્ઠ પડે છે, તો કોઈ નવાં વળગે છે. એમ ક્રિયા થયા કરે છે. આવી રીતે લાગતાં કર્મોના જૈનશાસ્ત્રકારોએ મુખ્ય બે ભેદ બતાવ્યા છે. ૧ ઘાતિકર્મ અને ૨ અધાતિકર્મ. જે કર્મો જીવ ઉપર લાગીને આત્માના મુખ્ય સ્વભાવિક ગુણોને વાત કરે તે જ્ઞાતિ ક છે અને જે કર્મનાં પરમાણુઓ આત્માના મુખ્ય ગુણોને નકશાન પહોંચાડતા નથી તે અધાતિ કર્મો છે. આ ઘાતિ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52