Book Title: Paramagama Sara
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 131
________________ પંચાસ્તિકાય સંગ્રહ ૧૧૪ જીવદ્રવ્ય, પુદ્ગલકાય, ધર્મ, અધર્મને આકાશ એ અસ્તિત્વનિયત, અનન્યમય ને અણુમહાન પદાર્થ છે. ૪. ગાથા ૪:- જીવો, પુદ્ગલકાયો, ધર્મ, અધર્મ તેમજ આકાશ અસ્તિત્વમાં નિયત, (અસ્તિત્વથી) અનન્યમય અને અણુમહાન (પ્રદેશે મોટા અર્થત અનેક પ્રદેશી છે) ૧૧૫ અન્યોન્ય થાય પ્રવેશ, એ અન્યોન્ય દે અવકાશને, અન્યોન્ય મિલન, છતાં કદી છોડે ન આપસ્વભાવને. ૭. ગાથા ૭ :- તેઓ એકબીજામાં પ્રવેશ કરે છે, અન્યોન્ય અવકાશ આપે છે, પરસ્પર (ક્ષીરનીરવત) મળી જાય છે, તો પણ સદા પોતપોતાના સ્વભાવને છોડતાં નથી. ૧૧૬ તે તે વિવિધ સર્ભાવપર્યયને દ્રવે-વ્યાપે-લહે તેને કહે છે દ્રવ્ય, જે સત્તા થકી નહિ અન્ય છે. ૯. ગાથા ૯ :- તે તે સભાવપર્યાયોને જે દ્રવે છે - પામે છે, તેને (સર્વજ્ઞો) દ્રવ્ય કહે છે – કે જે સત્તાથી અનન્યભૂત છે. (જાઓ પ્રવચનસાર ગાથા-૯૫). ૧૧૭ છે સત્ત્વ લક્ષણ જેહનું ઉત્પાદવ્યયધુવયુક્ત જે, ગુણપયયાશ્રય જેહ, તેને દ્રવ્ય સર્વજ્ઞો કહે. ૧૦. ગાથા ૧૦ :- જે સત્' (નિત્ય) લક્ષણવાળું છે, જે ઉત્પાદવ્યયધ્રૌવ્ય સંયુક્ત છે અથવા જેમાં ગુણપર્યાયો હોય છે, તેને સર્વજ્ઞો દ્રવ્ય કહે છે. તાત્પર્ય એ છે કે દ્રવ્યનું લક્ષણ સત્ છે અને સત્ ઉત્પાદ-વ્યય અને ઘીવ્યથી સંયુક્ત છે. અથવા ગુણ અને પર્યાયવાળી વસ્તુને દ્રવ્ય કહે છે. ૧ ૨ ૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176