Book Title: Paramagama Sara
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 160
________________ ૬ મોક્ષપ્રાભૂત : ૨૧૨ વસ્તુ સ્વરૂપ જાણ્યા વિના દેહે સ્વ-અધ્યવસાયથી અજ્ઞાની જનને મોહ ફાલે પુત્રદારાદિક મહી. ૧૦. દેહે સ્વ- અધ્યવ્યવસાયથી=દેહે તેજ આત્મા છે' એવા મિથ્યા અભિપ્રાયથી. ગાથા-૧૦. જે મનુષ્યોએ જીવ અજીવ પદાર્થના સ્વરૂપને યથાર્થ જાણ્યું નથી. તેમને દેહમાં સ્વ-પરનો અધ્યવસાય છે કે જેથી પોતાના દેહને જ આત્મા માને છે અને પુત્ર, સ્ત્રી આદિ કુટુમ્બિઓમાં મોહ (મમત્વ) કરે છે. જયારે જીવઅજીવ સ્વરૂપ જાણે ત્યારે દેહને અજીવ માને, આત્માને અમૂર્તિક ચૈતન્ય માને, પોતાના આત્માને પોતાનો માને, અને પોતાના થી અન્ય આત્માને પર જાણે, ત્યારે તેને પરમાં મમત્વ થતું નથી. તેથી જીવાદિ પદાર્થોના સ્વરૂપને સારી રીતે જાણી મોહ નહી કરવો તે બતાવે છે. ર ૧૩ રે! નિયમથી નિજદ્રવ્યરત સાધુ સુદષ્ટિ હોય છે, સમ્યકત્વપરિણત વર્તતો દુષ્ટાન્ટ કમ ક્ષય કરે. ૧૪. દુખાષ્ટકમ–દુષ્ટ આઠ કમોને; ખરાબ એવા આઠ કમને. ગાથા–૧૪. જે મુનિ સ્વદ્રવ્ય અર્થાત પોતાના આત્મામાં રત, મગ્ન રહે છે, રૂચિ સહિત છે તે નિયમથી સમ્યગ્દષ્ટિ છે. સમ્યકત્વ ભાવરૂપ પરિણમન કરતો થકો દુષ્ટ આઠ કર્મોનો ક્ષય કરે છે. જે પોતાના સ્વરૂપની શ્રધ્ધા, રુચિ, પ્રતીતિ, આચરણથી યુક્ત છે તે નિયમથી સમ્યગ્દષ્ટિ છે. અને આ સમ્યકત્વ ભાવનાના પરિણમનથી કર્મોનો ક્ષય કરી નિર્વાણ પ્રાપ્ત કરે છે. ૨ ૧૪ પદ્રવ્યથી દુર્ગતિ, ખરે સુગતિ સ્વદ્રવ્યથી થાય છે; એ જાણી, નિજદ્રવ્ય રમો, પરદ્રવ્યથી વિરમો તમે. ૧૬. ગાથા-૧૬, આચાર્યો સંક્ષેપમાં ઉપદેશ આપ્યા છે કે પોતાના આત્મસ્વભાવમાં રતિ કરો, તેનાથી સુગતિ થાય છે, સ્વગદિ પણ તેનાથી મળે છે અને મોક્ષ પણ તેનાથી પ્રાપ્ત થાય છે. અને પરદ્રવ્યથી પ્રીતિ મના કરો, તેનાથી દુર્ગતિ ૧પ૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176