Book Title: Paramagama Sara
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 173
________________ ૨૪૨ પ્રાણીદયા, દમ, સત્ય, બ્રહ્મ, અચૌર્ય ને સંતુષ્ટતા, સમ્યક્ત્વ, જ્ઞાન, તપશ્ચરણ છે શીલના પિરવારમાં. ૧૯ ગાથા—૧૯ જીવદયા, ઈદ્રિયોનું દમન, સત્ય, અચૌર્ય, સંતોષ, સમ્યગ્દર્શન, જ્ઞાન, તપ આ બધા શીલના પરિવારમાં છે. શીલ સ્વભાવનું તથા પ્રકૃતિનું નામ છે. મિથ્યાત્વ સહિત કષાયરૂપ જ્ઞાનની પરિણિત તે તો દુ:શીલ છે, તેને સંસાર પ્રકૃતિ કહે છે. પણ આ પ્રકૃતિ પલટી અને સમ્યક્ પ્રકૃતિ થાય તો તે સુશીલ છે, તેને મોક્ષસન્મુખ પ્રકૃતિ કહે છે. જયારે સંસાર પ્રકૃતિ પલટી સંસાર દેહથી વૈરાગ્ય પામી સમ્યગ્દર્શન પરિણામ થાય પછી બધી પ્રકૃતિ મોક્ષની સન્મુખ થાય, તે સુશીલ છે, જેને સંસારનો અંત આવે છે ત્યારે તેને આ પ્રકૃતિ હોય છે અને આ પ્રકૃતિ ન હોય ત્યાં સુધી સંસાર ભ્રમણ જ છે, એમ જાણવું. ૨૪૩ વિષવેદનાહત જીવ એક જ વાર પામે મરણને, પણ વિષયવિષહત જીવ તો સંસારકાંતારે ભમે. ૨૨. સંસારકાંતારે=સંસારરૂપી મોટા ભયંકર વનમાં ગાથા—૨ ૨. ઝેરથી તો જીવ્ર એક જન્મમાંજ મરણ પામે છે પરંતુ વિષયરૂપ વિષથી જીવ મોટેભાગે વારંવાર સંસારરૂપી વનમાં ભ્રમણ કરે છે. પુણ્યની અને રાગની રુચિ પણ વિષય બુધ્ધિ છે. સર્પના વિષથી પણ વિષયોનું વિષ વધુ પ્રબળ છે. વિષયોની આસક્તિથી એવો કર્મબંધ થાય છે કે તેનાથી ઘણા જન્મ મરણ કરવા પડે છે. ૨૪૪ જોશીલ વિણ બસ જ્ઞાનથી કહી હોય શુદ્ધિ જ્ઞાનીએ, દશપૂર્વધરનો ભાવ કેમ થયો નહીં નિર્મળ અરે? ૩૧. ગાથા—૩૧ જો શીલ વગરજ ફક્ત જ્ઞાનથીજ વિશુદ્ધ ભાવ પંડિતોએ કહ્યો હોય તો દશપૂર્વનો જાણવાવાળાના ભાવ નિર્મળ કેમ ન થયા? તેથી એમ જાણવું કે ભાવ નિર્મળ શીલથી જ થાય છે. અને મિથ્યાત્વ કષાય આદિનું દૂર થવું તે જ શીલ છે. શીલ વગર ફક્ત જ્ઞાનથી જ મોક્ષની સિધ્ધિ થતી નથી. શીલના વગર મુનિ પણ થઇ જાય તો ભ્રષ્ટ થઇ જાય છે. તેથી શીલને મુખ્ય જાણવું Jain Educationa International ૧૬૩ . For Personal and Private Use Only. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176