Book Title: Paramagama Sara
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 152
________________ ૪) બોધપ્રાભૃત : ૧૯૦ નિગ્રંથ ને નિ:સંગ, નિર્માનાશ, નિરહંકાર છે, નિર્મમ, અરાગ, અદ્વેષ છે,—દીક્ષા કહી આવી જિને. ૪૯. નિર્માનાશ=માન ને આશા રહિત. નિ:સ્નેહ, નિર્ભય, નિર્વિકાર, અકલુષ ને નિર્મોહ છે, આશારહિત, નિર્લોભ છે,—દીક્ષા કહી આવી જિને. ૫૦. જન્મ્યા પ્રમાણે રૂપ, લંબિતભુજ, નિરાયુધ, શાંત છે, પરકૃત નિલયમાં વાસ છે,દીક્ષા કહી આવી જિને. ૫૧, ૧. લૌબતભુજ=નીચે લટકતા હાથવાળી. ૨. નિરાયુધ=શસ્ત્રરહિત. ૩. નિલય=રહેઠાણ ઉપશમ-ક્ષમા-દમયુક્ત, તનસંસ્કારવર્જિત વૃક્ષ છે, મદ-રાગ-દ્વેષવિહીન છે,—દીક્ષા કહી આવી જિને. ૫૨. રૂક્ષ=તેલમર્દન રહિત. દમઇન્દ્રિયનિગ્રહ. ગાથા ૪૯, ૫૦, ૫૧, ૫૨.: જૈન દીક્ષા કેવા પ્રકારે હોય છે. તે અહીં કહે છે. નિગ્રંથસ્વરૂપ, પરિગ્રહથી રહિત, નિઃસંગ, કષાય રહિત, રાગ દ્વેષ રહિત, ભય, મદ, માન રહિત, સંસારના ભોગોની આશા રહિત, પરદ્રવ્યમાં મોહ અથવા આત્મબુદ્ધિરહિત, કામક્રોધાદિ વિકાર રહિત, મોહ કર્મના અભાવરૂપ, શાંતરિણામ સહિત, ક્રોધના અભાવરૂપ ઉત્તમક્ષમા સહિત; મૂઢભાવ અને અજ્ઞાનભાવ રહિત, બાળકનું જેવુ નગ્નરૂપ હોય છે તેવા નગ્નરૂપ, કાયોત્સર્ગમાં ઊભા રહેલા, આયુધોથી રહિત, અંગ–ઉપાંગના વિકાર રહિત, સ્નાનાદિ રહિત, કર્તૃત્વભાવ રહિત, પોતાના સ્વરૂપને જ સાધન કરી, સ્વસંવેદનથી પોતાના આત્માને પ્રત્યક્ષ અનુભવતા થકા આત્મામાં રમણતા કરે તે જિનદીક્ષાનું નામ પામે છે. વેષ ધારણ કરવાથી દીક્ષા માને તે દીક્ષા નથી. સ્વ પરના ભેદજ્ઞાન વગર ફક્ત વેષ ગ્રહણ કરવાથી દીક્ષા કેવી રીતે સંભવી શકે ? ન જ સંભવી શકે. Jain Educationa International ૧૪૨ For Personal and Private Use Only. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176