Book Title: Paramagama Sara
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi
View full book text
________________
૨૦૫ આત્મા વિશુદ્ધસ્વભાવ આત્મ મહીં રહે તે “શુદ્ધ' છે;
–આ જિનવરે ભાખેલ છે, જે શ્રેય, આચર તેહને ૭૭. ગાથા ૭૭ઃ- શુદ્ધ છે તે પોતાનો શુદ્ધ સ્વભાવ પોતામાં જ છે, તેથી તેને અંગીકાર કરવો. ભગવાને ભાવ ત્રણ પ્રકારના કહ્યા છે, ૧) શુભ, ૨) અશુભ અને ૩) શુદ્ધ. અશુભ તો આ અને રૌદ્ર ધ્યાન છે તે તો અતિ મલિન છે અને તેથી છોડવા લાયક જ છે. ધર્મધ્યાન શુભ છે અને તેથી તે કથંચિત એક અપેક્ષાએ ઉપાદેય છે. તેનાથી મંદકષાયરૂપ વિશુદ્ધ ભાવની પ્રાપ્તિ થાય છે. શુદ્ધભાવ છે તે સર્વથા ઉપાદેય છે કારણકે તે આત્માનું સ્વરૂપ જ છે.
રત્નો વિષે જ્યમ શ્રેષ્ઠ હીરકતરુગણે રંગોશીષ છે,
જિનધર્મ ભાવિભવમથન ત્યમ શ્રેષ્ઠ છે ધર્મો વિષે. ૮૨. હીરક=હીરો. ગોશીષ= બાવનચંદન. ભાવિભવમથનભાવી ભવોને હણનાર. ગાથા ૮૨- જેમ રત્નોમાં સૌથી ઉત્તમ હીરો છે, અને જેમ મોટાં વૃક્ષોમાં ઉત્તમ બાવન ચંદન છે, તેમ ધર્મોમાં ઉત્તમ જૈન ધર્મ છે, કારણ કે તેનાથી મોક્ષ થાય
૨૦૭ પૂજાદિમાં વ્રતમાં જિનોએ પુણ્ય ભાખ્યું શાસન
છે ધર્મ ભાખ્યો મોહક્ષોભવિહીન નિજ પરિણામને. ૮૩. ગાથા ૮૩- વ્રતાદિ અને પૂજા ભક્તિ, વંદના આદિ તે તો પુણ્ય છે, તેમાં રાગ સહિત શુભ પરિણામ છે અને તેનાથી પુણ્ય બંધ થાય છે અને તેનું ફળ સ્વગદિના ભોગોની પ્રાપ્તિ છે. પણ મોહના ક્ષયથી શુદ્ધ આત્માનાં પરિણામ તે ધર્મ છે. મિથ્યાત્વ તે અતત્ત્વાર્થ શ્રદ્ધાન છે. ક્રોધ, માન, અરતિ, શોક, ભય, જુગુપ્સા તે છ દ્વેષ પ્રકૃતિ છે અને માયા, લોભ, હાસ્ય, રતિ એ ચાર તથા સ્ત્રી, પુરૂષ, નપુંસક તે ત્રણ વિકાર, એમ સાત પ્રકૃતિ સાગરૂપ છે. આના નિમિત્તથી આત્માનાં જ્ઞાન-દર્શન સ્વભાવ વિકાર સહિત, ક્ષોભરૂપ, ચલાચલ, વ્યાકુળ થાય છે તેથી આ વિકારોથી રહિત થાય ત્યારે શુદ્ધ દર્શન જ્ઞાનરૂપ નિશ્ચય થાય તે
૧ ૪૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176