Book Title: Paramagama Sara
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 156
________________ ૨૦૨ શિવભુતિનામક ભાવશુદ્ધ મહાનુભાવ મુનિવરા ‘તુષમાષ’ પદને ગોખતા પામ્યા પ્રગટ સર્વજ્ઞતા. ૪૩. તુષમાષ=ફોતરાં અને અડદ. ગાથા ૫૩:- શિવભૂતિ મુનિએ શાસ્ત્રનો અભ્યાસ કર્યો નહોતો, પરંતુ “તુષ માષ” એવા શબ્દોનું રટણ કરતાં કરતાં ભાવોની વિશુદ્ધતા થતાં મહાનુભાવ થઈ કેવળજ્ઞાન પામ્યા. ૨૦૩ દેહાદિસંગવિહીન છે, વર્જ્ય સકળ માનાદિ છે, આત્મા વિષે રત આત્મ છે, તે ભાવલિંગી શ્રમણ છે. ૫૬. ગાથા ૫૬:- ભાવલિંગી સાધુ દેહાદિ પરિગ્રહોથી રહિત, તથા માન કષાય આદિથી રહિત અને આત્મામાં જ લીન હોય છે. આત્માના સ્વાભાવિક પરિણામને “ભાવ” કહે છે અને તેના-અનુરૂપ લિંગ ચિહ્ન, લક્ષણ તથા રૂપ હોય તે ભાવલિંગ છે. આત્મા અમૂર્તિક ચેતનારૂપ છે, તેના પરિણામ દર્શન જ્ઞાન છે. બાહ્યમાં દેહાદિક પરિગ્રહથી રહિત તથા અંતરગમાં રાગાદિક પરિણામથી રહિત હોય અને પોતાના દર્શન જ્ઞાનરૂપ ચેતનાભાવમાં લીન હોય તે ‘ભાવલિંગ’ છે. જેના આ પ્રમાણે ભાવ હોય તે ભાલિંગી સાધુ છે. ૨૦૪ નગ્નત્વધર પણ ધર્મમાં નહિ વાસ, દોષાવાસ છે, તે ઇક્ષુફૂલસમાન નિષ્ફળ-નિર્ગુણી, નટશ્રમણ છે. ૭૧. દોષાવાસ=દોષોનું ઘર. ઈશુલ=શેરડીનાં ફૂલ. ગાથા ૭૧:- જેનામાં સમ્યગ્નાનાદિ ગુણો નથી, સ્વસંવેદન જ્ઞાનથી આત્માને અનુભવતો આત્મામાં જે લીન નથી, દશલક્ષણ ધર્મ સ્વરૂપ નથી તે ઈશુના ફૂલ સમાન છે કે જેને ન તો કોઈ ફળ લાગે છે અથવા ન તો તેમાં ગંધ આદિ ગુણ હોય છે. તેથી આવા સાધુનો વ્યવહાર બહુરૂપી નટ અથવા ભવાઈ ભજવનારના સ્વાંગ સમાન છે. તેથી પહેલાં મિથ્યાત્વ આદિ દોષો છોડી એક શુદ્ધાત્માનું શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ કરે પછી જ સાધુનો બાહ્ય વેષ જિન આજ્ઞા પ્રમાણે ગ્રહણ કરવો જોઇએ. Jain Educationa International ૧૪૬ For Personal and Private Use Only. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176