Book Title: Paramagama Sara
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 150
________________ તલતુષમાત્રનાલના ફોતરા જેટલું પણ ગાથા–૧૮. નવા જન્મેલા બાળકનું જેવું રૂપ હોય છે તેવું સાધુનું નગ્ન સ્વરૂપ હોય છે. તેને તલનુષ માત્રનો પરિગ્રહ હોતો નથી. જો કોઈ સાધુ થોડો ઘણો પણ પરિગ્રહ ગ્રહણ કરે છે તો તે નિગોદમાં જાય છે. મિથ્યાત્વ સહિત રાગભાવથી અપનાવી મમત્વપૂર્વક પોતાના વિષય કષાય પુષ્ટ, દઢ કરવા માટે રાખે તેને પરિગ્રહ કહ્યો છે. ૧૮૩ રે! હોય બહુ વા અલ્પ પરિગ્રહ સાધુને જેના મતે, તે નિઘ છે; જિનવચનમાં મુનિ નિષ્પરિગ્રહ હોય છે. ૧૯ ગાથા–૧૯. જેના મતમાં સાધુને બહુ અથવા અલ્પ પરિગ્રહ ગ્રહણ કરવાની છૂટ છે, તે મત તથા તેના શ્રધ્ધાવાન જીવો નિંદાયોગ્ય છે. કારણ કે જિનવચનમાં પરિગ્રહ રહિત જ નિર્દોષ મુનિ હોય છે. ૧૮૪ નહિ વસ્ત્રધર સિદ્ધિ લહે, તે હોય તીર્થકર ભલે, બસ નગ્ન મુક્તિમાર્ગ છે, બાકી બધા ઉન્માર્ગ છે. ૨૩ ગાથા-૨૩. જયાં સુધી તીર્થકર પણ વસ્ત્ર પરિધાન કરે, ધારણ કરે ત્યાં સુધી તેમને પણ સિધ્ધિ પ્રાપ્ત થતી નથી. સાધુનું છેવટે તો અચેલકપણું-નગ્ન પણું જ મોક્ષ માર્ગ છે, બાકી બધા સાધુના વેષ ઉન્માર્ગ છે. ૧૮૫ સ્ત્રીને સ્તનોની પાસ, કશે. યોનિમાં, નાભિ વિષે, બહુ સૂક્ષ્મ જીવ કહેલ છે. કયમ હોય દીક્ષા તેમને ? ૨૪ ગાથા૨ ૪. સ્ત્રીને બન્ને સ્તનોની વચ્ચે, કક્ષમાં અથત બને કાંખોમાં યોનિમાં નાભિમાં આંખથી જોઈ ન શકાય તેવા અતિસૂક્ષ્મ જીવો કહ્યા છે, તો પછી તેમને પ્રધ્વજયા અર્થાત દીક્ષા કેવી રીતે હોઈ શકે ? ન જ હોય. ૧૮૬ મનશુદિ પૂરી ન નારીને. પરિણામ શિથિલ સ્વભાવથી, વળી હોય માસિક ધર્મ, સ્ત્રીને ધ્યાન નહિ નિઃશંકથી. ૨૬ ગાથા–૨૬. સ્ત્રીને ચિત્તની શુદ્ધતા નથી, વળી સ્વભાવથી જ તેના પરિણામ શિથિલ હોય છે, ભાવી ઢીલા હોય છે, અને તેને પ્રત્યેક મહિને માસિક ધર્મરૂપ રૂધિરનો સ્ત્રાવ વિદમાન છે તેની શંકા રહે છે તેથી સ્ત્રીને નિ:શંક ધ્યાન હોતું નથી. ૧ ૪૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176