Book Title: Paramagama Sara
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 148
________________ સૂત્રપ્રાભુત : ૧૭૮ સૂત્રે સુદર્શિત જેહ, તે સૂરિગણપરપર માર્ગથી જાણી દ્વિધા, શિવપંથ વર્તે જીવ જે તે ભવ્ય છે. ૨. સુદર્શિત=સારી રીતે દર્શાવવામાં-કહેવામાં આવેલું સૂરિગણપરંપર માર્ગ=આચાર્યોની પરંપરામય માર્ગ. દ્વિધા(શબ્દથી અને અર્થથી-એમ) બે પ્રકારે. સૂત્રજ્ઞ જીવ કરે વિનષ્ટ ભવો તણા ઉત્પાદને; ખોવાય સોય અસૂત્ર, સોય સસૂત્ર નહિ ખોવાય છે; ૩. સૂત્રજ્ઞ—શાસ્ત્રનો જાણનાર. અસૂત્ર=દોરા વિનાની. ગાથા ૨ અને ૩ :- જેવી રીતે સૂત્ર અર્થાત દોરા સહિત સોય ગુમાઈ જતી નથી અને સૂત્ર રહિત ગુમાઈ જાય છે, તેવી રીતે સૂત્ર (શાસ્ત્ર) સહિત જીવ નાશ પામતો નથી. સૂત્રોનો જાણનાર સંસારનો નાશ કરે છે કારણ કે સંસારનો નાશ કરવાનો અને મુક્તિ પ્રાપ્ત કરવાનો ઉપાય સૂત્રો (શાસ્ત્રો)માં જ બતાવ્યો છે. અરિહંત દ્વારા પ્રરૂપેલ અને ગણધર દેવોએ ગૂંથેલા સૂત્રો તો દ્વાદશાંગરૂપ છે પણ તે તો આ કાળમાં અસ્તિત્વમાં દેખાતાં નથી તો પણ તેમાં જે ઉપદેશ છે તેને આચાર્યોની પરંપરાથી જાણીએ છીએ, અને તેને શબ્દ અને અર્થથી જાણીને મોક્ષમાર્ગ સાધી શકાય છે અને જે તે માર્ગ સાથે છે તે ભવ્ય જીવો છે. આચાર્યોની પરંપરા નીચે મુજબ છે. શ્રી સર્વજ્ઞદેવ ભગવાન મહાવીર પછી ત્રણ કેવળજ્ઞાની થયા. ૧) ગૌતમ, ૨) સુધર્મ, ૩) જંબુ તેમાના પછી પાંચ શ્રુતકેવળી થયા, કે જેમને દ્વાદશાંગ સુત્રનું જ્ઞાન હતું. તેઓ ૧) વિષ્ણુ, ૨) દિમિત્ર, ૩) અપરાજીત, ૪) ગૌવર્ધન, ૫) ભદ્રબાહુ તેમના પછી દશ પૂર્વના જાણનારા અગિયાર થયા. તેમના પછી પાંચ જ્ઞાનીઓ અગિયાર અંગના ધારક હતા. તેમના પછી એક અંગના પૂર્ણજ્ઞાનીનો અભાવ થયો અને અંગના એકદેશ અર્થના જાણનાર આચાર્ય થયા. તે આચાર્યોમાંથી અમુક નામો નીચે મુજબ છે. અર્હદબલિ, માઘૌદ, ધરસેન, પુષ્પદંત, ભૂતબલિ, જિનચંદ્ર, કુંદકુંદ, ઉમાસ્વામી, સમતભદ્ર, શિવકોટિ, શિવાયન, પૂજયપાદ, વીરસેન, જિનસેન, નેમિચંદ્ર, વિગેરે. Jain Educationa International ૧૩૮ For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176