Book Title: Paramagama Sara
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 135
________________ ૧૩૨ સંસારગત જે જીવ છે પરિણામ તેને થાય છે, પરિણામથી કમ, કરમથી ગમન ગતિમાં થાય છે, ૧૨૮. ગતિ પ્રાપ્તને તન થાય, તનથી ઈદ્રિયો વળી થાય છે, એનાથી વિષય ગ્રહાય, રાગદ્વેષ તેથી થાય છે. ૧૨૯. એ રીત ભાવ અનાદિનિધન અનાદિસાંત થયા કરે સંસારચક્ર વિષે જીવોને–એમ જિનદેવો કહે. ૧૩૦. છે રાગ, દ્વેષ, વિમોહ, ચિત્તપ્રસાદપરિણતિ જેહને, તે જીવને શુભ વા અશુભ પરિણામનો સદ્ભાવ છે. ૧૩૧. ગાથા ૧૨૮, ૧ ૨૯ ૧૩૦, ૧૩૧: જે ખરેખર સંસારસ્થિત જીવ છે તેનાથી પરિણામ થાય છે (અર્થાત તેને સ્નિગ્ધ પરિણામ થાય છે), પરિણામથી કર્મ અને કર્મથી ગતિઓમાં ગમન થાય છે. ગતિપ્રાપ્તને દેહ થાય છે, દેહથી ઈદ્રિયો થાય છે, ઈદ્રિયોથી વિષયગ્રહણ અને વિષયગ્રહણથી રાગ અથવા દ્વેષ થાય છે. એ પ્રમાણે ભાવ, સંસારચક્રમાં જીવને અનાદિ-અનંત અથવા અનાદિ-સાંત થયા કરે છે–એમ જિનવરોએ કહ્યું છે. જેના ભાવમાં મોહ, રાગ, દ્વેષ અથવા ચિત્ત પ્રસન્નતા છે, તેને શુભ અથવા અશુભ પરિણામ છે. ૧૩૩ સંવર સહિત, આત્મપ્રયોજનનો પ્રસાધક આત્મને જાણી, સુનિશ્વળ જ્ઞાન ધ્યાવે, તે કરમરજ નિજર. ૧૪પ. ગાથા ૧૪૫ :- સંવરથી યુક્ત એવો જે જીવ, ખરેખર આત્માર્થનો પ્રસાધક (સ્વપ્રયોજનનો પ્રકષ્ટ સાધક) વર્તતો થકો, આત્માને જાણીને ૮-અનુભવીને) જ્ઞાનને નિશ્ચળપણે ધ્યાવે છે, તે કર્મરજને ખેરવી નાખે છે. ૧૩૪ નહિ રાગદ્વેષવિમોહ ને નહિ યોગસેવક જેહને, પ્રગટે શુભાશુભ બાળનારો ધ્યાન-અગ્નિ તેહને. ૧૪૬. ગાથા ૧૪૬ :- જેને મોહ અને રાગદ્વેષ નથી તથા યોગોનું સેવન નથી (અર્થાત્ મન-વચન-કાયા પ્રત્યે ઉપેક્ષા છે), તેને શુભાશુભને બાળનારો ધ્યાનમય અગ્નિ પ્રગટે છે. ૧૨૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176