Book Title: Nyayamanjari Ahanika 06 07 08 09
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 396
________________ અવિદ્યા જ અવિદ્યાને ઉપાય છે એ વેદાન્તમતને નિરાસ છે અને તે યુક્ત છે. પરંતુ જે સ્વરૂપથી જ અસ્તિત્વ ધરાવતા નથી તે સ્વરૂપથી કે પરરૂપથી વ્યવહારને હેતુ બને એ ઘટતું નથી; રેખાસન્નિવેશ સ્વરૂપથી સત છે એટલે વર્ણરૂપે અસત હોવા છતાં વણનું કાર્ય કરવા શક્તિમાન બને. આ ન્યાય (તર્ક) અવિદ્યામાં નથી કારણ કે અવિદ્યા તે સ્વરૂપથી અસત્ છે. સપ વગેરેની બાબતમાં, સર્ષ આદિના સ્વરૂપની જેમ સર્ષ આદિનું જ્ઞાન પણ સર્પ આદિનું કાર્ય (મરણ આદિ) કરતું જાણ્યું છે. એટલે જ શંકાવિષની પણ ચિકિત્સા કરવાને ઉપદેશ આયુર્વેદ આપે છે. એ જ રીતે, “વનની ગુફાની બખેલના પ્રદેશમાંથી ક્રોધે ભરાયેલે આ સિંહ નીકળી આ તરફ જ આવી રહ્યો છે. આમ અસત્ય બોલાતાં, ભીરુઓનું પલાયન આદિ અને શૂરવીરેનું સેત્સાહ આયુધ ઉગામવા આદિ સત્ કાર્ય ઉપલબ્ધ થાય છે, ત્યાં સિંહજ્ઞાન સિંહનું કાર્ય કરે છે એટલે ઉપાય અસત જ નથી. આનાથી જ પ્રતિબિંબન દૃષ્ટાન્તનું પણ પ્રત્યાખ્યાન થઈ ગયું, કારણ કે મુખ આલિના કાલુષ્યની કલ્પનાનું કારણ ખડ્ઝ વગેરે ત્યાં અસ્તિત્વ ધરાવે છે, સત્ છે, પરંતુ અહી તે તેને અભાવ છે, .: 99. यदपि बद्धमुक्तव्यवस्थासिद्धये पादवेदनायुदाहृतम् , तदप्येवमपाकृतम् , अवच्छेदकस्य पादादेस्तत्र तात्विकत्वात् , इह तु भेदकल्पनाबीजमद्वैतवादिनो दुर्घटमिति बहुशः प्रदर्शितम् । 99. વળી, બદ્ધ-મુક્તની વ્યવસ્થા સિદ્ધ કરવામાં પાદવેદના વગેરેનાં જે ઉદાહરણ આપ્યાં તેમનું પણ આ રીતે ખંડન થઈ જાય છે, કારણ કે ત્યાં અવછેરક પદ વગેરે તાત્ત્વિક છે; પરંતુ અહીં ભેદકલ્પનાનું બીજ અદ્વૈતવાદીઓને માટે દુર્ધટ છે એ અમે - અનેક રીતે દર્શાવ્યું છે. 100. તહેવમત્ર વસ્તુસંક્ષેપઃ – વિયાયામસામાં સર્વ gવાયું યથોલાદતો પૂત્ર__ हारप्रकारस्तत्कृत इति नावतिष्ठते । सत्यां तु तस्यां नाद्वैतमिति । अत एवाह सूत्रकारः 'संख्यकान्तासिद्धिः प्रमाणोपपत्त्यनुपपत्तिभ्याम्' न्यायसूत्र ४. १.४१] इति । - - 100. તે અહીં આ રહ્યો સાર – અવિદ્યા અસત હતાં, ઉદાહરણથી સમજાવવામાં આ બધે જ વ્યવહારધકાર અવિદ્યાકૃત છે એ સ્થિર થતું નથી અને જે અવિદ્યા સત્વ હેય તે અદ્વૈત સ્થિર થતું નથી. એટલે જ સૂત્રકારે કહ્યું છે કે “તત્ત્વ એક જ છે, બે જ છે, ત્રણ જ છે વગેરે સંખ્યકાન્તવાદો અસિદ્ધ છે કારણ કે તે એક, બે, ત્રણ વગેરે તથી અતિરિક્ત એવું તેમને પુરવાર કરતું સાધન છે કે નહિ એ વિકલ્પ વિચારતાં તે સંબૅયાતવાદ ઘટતા નથી.' [ન્યાયસૂત્ર ૪.૧.૪૧]. - 101. રઢિ તાવ દૈતસિદ્ધ પ્રમાણમસ્તિ, તÉિ તહેવ દ્રિતીમતિ નાદ્વૈતન્ ! अथ नास्ति प्रमाणं, तथापि न तरामद्वैतम् , अप्रामाणिकायाः सिद्धेरभावादिति । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450