Book Title: Nyayabindu
Author(s): Dharmakirti, Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 267
________________ ૨૨૬ ન્યાયબિન્દુ ટિપ્પણ સૂત્ર ૪૭ : વિવિષયા ની સમજૂતીમાં અગાઉ જેમ ધર્મોત્તર દેશથી, કાળથી અને સ્વભાવથી - એમ ત્રણ રીતના વિપ્રકર્ષ બતાવે છે. એમાં સ્વમાવિક જ તાત્ત્વિક લાગે છે. કોઈ ભાવને કા કે જાથી વિપ્રકલ એ જે તે સ્થળે તે તે ભાવની અસિદ્ધિ કરે જ છે, સંશય નહિ. અલબત્ત, દષ્ટિને અગોચર એવા દેશમાં પણ તેના સત્ત્વની વાત કરીએ તો જરૂર એની અનુપલબ્ધિ સંશય હેતુ બને છે. વળી સ્વભાવવિપ્રકૃષ્ટતા પણ સામાન્ય મનુષ્ય માટે હોવા છતાં યોગી–આદિ માટે ન પણ હોઈ શકે. એટલે તે પણ સાપેક્ષ ધમ છે, નિરપેક્ષ નહિ. સૂત્ર ૪૮ : આગલા સૂત્રની વાતને આ સૂત્રમાં વધુ સ્પષ્ટ કરી છે. અહીં તત્વજ્ઞાનના ક્ષેત્રની એક ઘણું મહત્તવની વાત કરી છે. આ બાબત ભારે વિવાદાસ્પદ પણ છે. પ્રમાણસત્તાથી પ્રમેયસત્તા સિદ્ધ થાય તે પ્રમાણભાવથી પ્રમેયાભાવ ૫ણ કેમ સિદ્ધ ન થાય ? – આ એક બહુ પૂછવા જેવો પ્રશ્ન છે. આ પ્રશ્નનો ઉત્તર અન્ય ગૂઢવાદી દર્શનેની જેમ આ ન્યાયગ્રંથમાં પણ ધમકીતિએ શ્રદ્ધાને અવલંબીને આપે છે. અલબત્ત, એમણે પિતાની વાતનું સમર્થન ન્યાયમાન્ય પદ્ધતિએ કરવાને દેખાવ કર્યો છે, પણ પ્રચ્છન્ન રીતે તેમાં અતાર્મિક્તા જણાય છે, અને તેમાં શ્રદ્ધાને જ આશ્રય લેવાય છે. પ્રમાણુ પ્રવર્તે નહિ છતાં પ્રમેય હોઈ શકે એવું તાર્કિક વ્યક્તિ માની શકે? દા.ત. વાચસ્પતિમિશ્રનું વાયવર્તિતીરામાંનું પેલું પ્રમાણભકિત પરક વાકય જુએ : સંવિ હિ માવતર વલૂરામે ન: શરામ (અર્થ: કઈ પદાર્થનું ગ્રહણ કરવામાં ભગવતી સંવિદ્દ એટલે કે પ્રમાણે જ અમારુ શરણ છે.) (ચેરબાસ્કી નેધે છે, કે પ્રમાણુભાવે પ્રમેયાભાવની માન્યતા ભારતીય પરંપરાઓમાં નિયાચિકેન હતી, તેમ જ યુરોપીય વિજ્ઞાનમાં Sigwart સુધી હતી.) બીજી બાજુ અયવાદી અસહાય ભાવે, તે ગૂઢવાદી ભક્તિભાવે માનવપ્રમાણોની મર્યાદા સ્વીકારતા આવ્યા છે; દા.ત વેદાંતમાં બ્રહ્મનું નિર્ગુણ સ્વરૂપ કલ્પીને, તેની પ્રમાણગ્રાહ્યતા જ પ્રાધી છે ( જ પ્રસિદ્ધ ઉપનિષદ-વાક્ય : થતો વા નિવતતે મrણ મન સદ). ધમકીર્તિ ન્યાયશાસ્ત્રનો ગ્રંથ લખે છે. પણ તેઓ નિષ્ઠાથી નૈયાયિક નથી – એમ આ સૂત્ર પરથી કહી શકાય. શું તેઓ પ્રમાણોનું વ્યવહારુ મહત્વ કબૂલીને પણ અંતતોગતા પ્રમાણસંન્યાસની આવશ્યકતા જ પ્રબોધવા ધારે છે ! પ્રત્યક્ષના પ્રકારમાં વિજ્ઞાનને સ્વીકાર ૫ણ આ જ દિશા ચીંધે છે. અલબત્ત, સૂક્ષ્મ રીતે જોતાં સામાન્ય મનુષ્ય માટે જે બાબતમાં પ્રમાણુભાવ હોય છે તે બાબતમાં યોગી પાસે તો પ્રમાણુ હેય જ છે એમ પણ કહી શકાય. એ રીતે તો “પ્રમાણુભાવથી પ્રમેયાભાવ સિદ્ધ ન થાય' એવું વિધાન મર્યાદિત અધિકારીને જ ઉદ્દેશીને સાચું ગણી શકાય, સાવત્રિક રીતે સાચું નહિ. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org


Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318