Book Title: Nitnit Prashnottari Agam Gyan Gangotri
Author(s): Nitabai Swami
Publisher: Mansukhbhai J Medani

View full book text
Previous | Next

Page 481
________________ ૪૫૬ નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩ * પ્ર. ૨૬૭. સૌથી ઓછા જીવ જે કાયમાં છે તેના મૂળભેદ કેટલા? જવાબ. તેઉકાયમાં છે. તે અઢીદ્વિપમાં જ છે. તેના મૂળ ભેદ ૩૫૦ છે. પ્ર. ૨૬૮. શ્રાવક તિર્યંચ થયા તે કઈ કાયના પરિષહે? તેના મૂળ ભેદ કેટલા? જવાબ. અપકાયના પરિષહે. તેના મૂળ ભેદ ૩૫૦ છે. પ્ર. ૨૬૯. ચારેય ગતિનો સમાવેશ કરનાર કાયના મૂળ ભેદ કેટલા ? જવાબ. ત્રસકાય. તેમાં વિકસેન્દ્રિયના મૂળ ભેદ ૩૦૦ + તિ. પંચે.ના મૂળ ભેદ ૨૦૦ + નારકીના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળભેદ ૭OO = ૧૬OO થાય છે. પ્ર. ૨૭૦. નરકમાં ન જવાવાળા જીવોના મૂળ ભેદ કેટલા? જવાબ. એકેન્દ્રિયના મૂળ ભેદ ૨૬O0 + વિકસેન્દ્રિયના મૂળ ભેદ ૩OO + દેવના મૂળ ભેદ ૨૦૦ = ૩૧૦૦ પ્ર. ૨૭૧. દેવમાં ન જવાવાળા જીવોના મૂળ ભેદ કેટલા? જવાબ. એકેન્દ્રિયના મૂળ ભેદ ર૬૦૦ + વિલેન્દ્રિયના મૂળ ભેદ ૩OO + નારકીના મૂળ ભેદ ૨૦૦ = ૩૧૦૦ થાય. પ્ર. ૨૭૨. ચાર પર્યાપ્તિવાળા જીવોના મૂળ ભેદ કેટલા? જવાબ. એકેન્દ્રિયને ચાર પર્યાપ્તિ હોય. તેના મૂળ ભેદ ર૬૦૦ છે. પ્ર. ૨૭૩. ૬ પ્રાણવાળા જીવોના મૂળ ભેદ કેટલા? જવાબ. બેઇન્દ્રિયને ૬ પ્રાણ હોય. તેના મૂળ ભેદ ૧OO છે. પ્ર. ૨૭૪. જે શરીરમાં કલેવર થાય તે શરીરમાં મૂળ ભેદ કેટલા? જવાબ. તિર્યંચગતિના ૩૧૦૦ + મનુષ્યના ૭૦૦ = ૩૮૦૦ છે. પ્ર. ૨૭૫. સોપક્રમીમાં તેજોલેશીનાં જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. પૃથ્વી કાયના મૂળભેદ ૩૫૦ + અપકાયના મૂળ ભેદ ૩૫૦ + પ્રત્યેક વનસ્પતિકાયના મૂળ ભેદ ૫૦૦ + તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૨૧૦૦ થાય છે.

Loading...

Page Navigation
1 ... 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518