Book Title: Mewadno Guhilo athva Guhilotpatti Mimansa
Author(s): Manshankar Pitambardas Mehta
Publisher: Manshankar Pitambardas Mehta
View full book text
________________
૨મેવાડના ગુહિલે મતભેદ ચાલ્યો આવે છે. તેને સંતોષકારક નિર્ણય ક્યારે થશે, તે કહી શકાતું નથી. જાતીય અભિમાન એ માત્ર હિંદુઓની જ સ્વતંત્ર સંપત્તિ નથી. ચીન અને જાપાનના ઈતિહાસ જોઈશું તે તેમાંથી પણ તે દેશની પ્રજાએ પિતાના રાજાઓને સ્વર્ગમાંથી ઉતરી આવેલ દેવો જ માને છે, એમ પ્રતીત થશે. યુરેપની પ્રજાઓ પણ છેક ફેંચવિપ્લવના કાળ સુધી રાજાઓને ઇશ્વરાવતારે જ માનતી હતી. કંચવિપ્લવે જે ઘર સંહાર કર્યો, તેમાં તે માન્યતાને તે ભસ્મસાત્ કરી નાંખી. તેમ છતાં પણ તેઓમાં જાત્યભિમાનની એટલી બધી સ્પર્ધા છે કે પ્રત્યેક પ્રજાના પંડિતે પિતાની જાતિને શ્રેષ્ઠ સિદ્ધ કરવા તનતોડ પરિશ્રમ કરી રહ્યા છે. અહણાં જ અમેરિકાના સંયુક્ત રાજ્યની જે પ્રજા, પિતાને કેવલ વિચારસ્વતંત્ર અને આચારસ્વતંત્ર માને છે, તે પ્રજાએ પણ પિતાની નેન્ડિક જાતિની શ્રેષ્ઠતા તેમ જ વિશુદ્ધતા જાહેર કરી, ઈતર પ્રજાઓનું તેમાં જેમ બને તેમ ઓછું મિશ્રણ થાય, તેવા કાયદાઓ કર્યા છે. હિંદુઓ તે છેક વૈદિક કાળથી અથવા બ્રાહ્મણકાળથી રાજાઓમાં દેવાંશ અથવા ઈશ્વરાંશ હોવાનું માનતા આવ્યા છે. મૂલ પુરુષ વૈવસ્વત મનુથી
૩. બંગાળાના ઇતિહાસકારે નગેન્દ્રનાથ વસુ, રાખાલદાસ વંદ્યપાધ્યાય, રમાપ્રસાદા ચંદ વગેરે, શ્રીયુત ભાંડારકરના સિદ્ધાન્તને સ્વીકારે છે; રજપૂતાનના વિદ્વાનો ન જ સ્વીકારે, તે સ્વાભારિક છે; પંડિત મોહનલાલ પંડયાએ તે જ પત્રમાં તેનો જવાબ આપ્યો છે. વિદ્વદ્વર્ય નૈરીશંકર હીરાચંદ ઝા અને તેઓને પુષ્ટિ આપનાર વિદ્વદર્ય ચિંતામણુ વિનાયક વિઘના પ્રતિવાદે અવશ્ય મનનીય છે.
X. Modern Review, August, 1224, p. 150-White America by Sudhindra Natha Bose, Ph. D.
५. तस्मात्क्षत्रात्परं नास्ति । तस्मात् ब्राह्मण : क्षत्रियमधस्तादुपास्ते राजસાથે . બહદારણ્યક, અ-૧, બ્રા-જ, ક-૧૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com.