Book Title: Mewadno Guhilo athva Guhilotpatti Mimansa
Author(s): Manshankar Pitambardas Mehta
Publisher: Manshankar Pitambardas Mehta

View full book text
Previous | Next

Page 118
________________ મેવાડના ગુહિલેા : ૧૦૧ યશેાવમાં અને મગધના રાજા નૃસિંહગુપ્તે હૂણવંશી રાજા મિહિરકુલને ઇ. સ. ૫૨૮માં સખ્ત પરાભવ કરીને, તેને હાંકી કાઢયા, ત્યાં સુધી તેનુ રાજ્ય પજાખ, રાજપૂતાના, પંચાલ, ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી ફેલાયુ હતુ.૧૨ અર્થાત્ ઇ. સ. ૫૨૮ સુધીમાં મેવાડમાં કાઈ મળવાનું રાજ્ય હાવાનુ નોંધાયુ નથી. ગુહત્તના રાજ્યકાલ ઇ. સ. ૫૬૬માં મૂકીએ તેા, તેના પૂર્વ કદાચ નાના જાગીરદારો હશે, પરંતુ સામત રાજાઓના વર્ગમાં મૂકી શકાય, તેવી સત્તા કે પ્રતિષ્ઠા તેઓએ મેળવી નહિ હાય. મેવાડમાં ચાલતી દંતકથા ગમે તેટલી અનાવટી હોય, છતાં એ તે ખરૂ` છે કે ગુહિલેાના પૂર્જામાંથી વિજયાદિત્ય, ગ્રુહદત્ત અને અલ્પ એ ત્રણ નામે કેવલ કલ્પિત નથી, પણ તે તે નામના પ્રત્યક્ષ શરીરધારી રાજાએ થઈ ગયા હતા. ત્યારે મૂલપુરુષ વિજયાદિત્ય કાણુ હતા ? મહારાણા કુંભના એકલિંગ માહાત્મ્યના ગ્રંથમાં વિજયાદિત્ય ગુદત્તથી આઠમી પેઢીએ થઇ ગયેલ તેને પૂજ હતા, અને તે આનદપુરના નાગર હતા, એમ લખ્યું છે, વિજયાદિત્યને મહીદેવ પણ કહ્યા છે. ( જુએ ). અર્થાત્ આ વિજયાદિત્યની આનંદપુરની આસપાસ કોઇ ગામની જાગીર હાવી જોઇએ. ત્યારે શું આનંદપુરના બ્રાહ્મણા એટલે વડનગરના નાગરા જાગીરદાર હાવાનુ કઇ પ્રમાણુ છે ? પાછળ પૃ. નાગરખંડના ૧૧૩મા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે આન દેશના એટલે ગુજરાતના રાજા ચમત્કારે ચમત્કારપુર એટલે અર્વાચીન વડનગર બધાવીને ત્યાંના ૬૮ ગાત્રોના બ્રાહ્મણાને ૧૩. Early History of India, by V. Smith, 2nd ed; pp. 297-301. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132