Book Title: Mewadno Guhilo athva Guhilotpatti Mimansa
Author(s): Manshankar Pitambardas Mehta
Publisher: Manshankar Pitambardas Mehta
View full book text
________________
-
-
૧૧૦ : મેવાડના ગુહિલો કરી, ભવ્ય મંદિર બંધાવ્યાં હતાં. કદાચ સૌરાષ્ટ્રનું સેમિનાથનું મદિર પણ, તેની પ્રેરણાથી જ બંધાયું હશે. મુસલમાનેએ સિંધને કબજે લીધે કે તુરત જ હારીતરાશિ ચેતી ગયા હતા. નાગર્હદ સુધી ગુહિલાનું રાજ્ય પ્રસર્યું હતું. અથવા બ૫ રાવલના પિતામહ અપરાજિતે ત્યાં રાજધાની પણ કરી હશે. છતાં આજે કાઠિયાવાડમાં આવેલ જેતપુર તાલુકાના અરાઢ ભાગીદાર પોતાની જાગીરનાં મુખ્ય ગામમાં રહી વહીવટ કરે છે, અને વિશેષતઃ તે જ ગામમાં પોતાને નિવાસ રાખે છે, તે પણ ખુદ જેતપુરને તેઓએ કેવલ ત્યાગ કર્યો નથી. જેતપુરમાં પ્રત્યેક ભાગદારનાં વિશાલ મકાને હોય છે, અને ત્યાં તેઓ અવારનવાર આવી આખા તાલુકાની સંઘટિત મંત્રણ કરે છે. તે જ પ્રમાણે આનંદપુર તાલુકાના જાગીરદારે પોતાની જાગીરોનાં મુખ્ય ગામમાં રહી અધિકાર ચલાવતા હશે, છતાં આનંદપુર સાથે સંબંધ તે ને તે જ અવિચિછન રાખ્યું હશે. તે જ કારણથી ચિતોડના લેખમાં બમ્પરાવળ આનંદથી નાગહૃદ આવ્ય અને ત્યાં તેણે હારીતરાશિની સેવા કરી, એમ કહેવામાં આવ્યું છે. બાલ્યાવસ્થા છતાં બ૫ની અડગ શ્રદ્ધા અને અપૂર્વ ગુરૂભક્તિ જોઈને તેઓ ચક્તિ થઈ ગયા; તેની તેજસ્વી મુખમુદ્રા, ભવ્ય શરીરાકૃતિ અને સંતુષ્ટ સહનશીલતાએ તેમજ તેના પૂર્વજોના વીર્યશાલી ઇતિહાસે તેઓને હૃદયભાર ઓછો કર્યો, આશાને ફલે—ખ કરી અને મનોરથને મૂર્તિમાન કર્યા. ચિતોડના શૂદ્ર રાજાને હાંકી કાઢીને મેવાડમાં હિંદુ ધર્મની છત્રછાયા ફેલાવવાની તેને પ્રેરણા કરી. કિશોર બપે ગુરૂની આજ્ઞાનું પરિપૂર્ણ પાલન કર્યું, નાગડાના નાના રાજ્યમાંથી મેવાડનું મહાત્ રાજ્ય ગુરૂપ્રસાદથી સ્થાપ્યું. આવું પરાકમ કેણ કરી શકે?
બ્રાહ્મણે તે તપ જ કરી શકે ! સૂર્યચંદ્રવંશી ક્ષત્રિયે સિવાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com