Book Title: Mewadno Guhilo athva Guhilotpatti Mimansa
Author(s): Manshankar Pitambardas Mehta
Publisher: Manshankar Pitambardas Mehta

View full book text
Previous | Next

Page 116
________________ મેવાડના ગુહિલો : ૯૯ માન થાય છે કે તેને કનિષ્ઠપુત્ર ઈશાનભટ્ટ મેવાડમાંથી નીકળી કઈ મેટા રાજાને આશ્રયે ગયે હશે. તે જ લેખમાં લખવામાં આવ્યું છે કે – ઈશાનભટ્ટથી ૮મી પેઢીએ થયેલ શંકરગણે ગાડરાજા ભટ્ટને હરાવી, તેનું રાજય પિતાના સ્વામીને મેળવી આપ્યું. તેના પુત્ર હર્ષરાજે ઉત્તર પ્રદેશમાં રાજાઓને હરાવી, તેઓની છાવણીમાંથી મળી આવેલા ઘેડા ભેજ રાજાને અર્પણ કર્યા હતા. તે ભોજરાજા કનેજને આદિવરાહ મિહિરભેજ, હતા; એમ સિદ્ધ કરવામાં આવ્યું છે. વિદ્વદ્વર્ય વૈદ્ય મહાશય પ્રમાણે તેને રાજયકાલ ઈ. સ. ૮૪૦ થી ૮૦ સુધી અને વિદ્વદ્રય ઓઝાશ્રી મુજબ ઈ. સ. ૮૪૩ થી ૮૮૧ સુધી હતો (પૃ. ૧૬૭). તે હર્ષરાજના પુત્ર ગુહિલ બીજાને સ્વામીભક્ત કહ્યા છે. તેણે સૈદેશના રાજાને અને પૂર્વ દેશના રાજાઓ પાસેથી ખંડણ લીધી, એમ પણ કહેવામાં આવ્યું છે (પૃ.૪૨૦–૨૨). કચુરી વંશના યુવરાજદેવ રાજાના ઈ. સ. ૯૮૦ના બનારસના દાનપત્રમાં કહેવામાં આવ્યું છે કે તે વંશના રાજા કેલદેવે, ભેજને, વલભદેવને, ચિત્રકુટના રાજા હર્ષરાજને તથા શંકરગણ રાજાને અભય આપ્યું હતું.૧૧ કક્કલદેવ પણ ઈ. સ. ૮૫૦માં થયો હતો અને તે કનોજના પ્રતિહાર રાજા ભેજને સમકાલીન હતે. તે ઉપરથી ચાટસુને શંકરગણ ઈ. સ. ૮૫૦માં થઈ ગયાનું સબળ અનુમાન થાય છે. કદાચ શંકરગણ તેને પુત્ર હર્ષરાજ અને તેને પુત્ર ગુહિલ બીજે એ ત્રણે ચાટસુમાં રાજય કરતા હશે અને કનોજના પ્રતિહાર રાજા ભોજદેવના ખંડિયા હશે. તેનાં પરાક્રમથી 20, Vaid's History of Mediæval Hindu India, Vol. II. p, 118. ૧૧. તેજ, પૃ. ૧૦૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com.

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132