Book Title: Mewadno Guhilo athva Guhilotpatti Mimansa
Author(s): Manshankar Pitambardas Mehta
Publisher: Manshankar Pitambardas Mehta

View full book text
Previous | Next

Page 119
________________ ૧૦૨: મેવાડના ગુહિલે દાનમાં આપ્યું, અને તે સાથે પ્રત્યેકને એકેક–એમ ૬૮ ગામો પણ દાનમાં આપ્યાં. ૧૩ ત્યાર પછી તે દેશના એક રાજા સિદ્ધસેને નાગરે પાસેથી તે આંચકી લીધાં હતાં. પાછળથી તેણે પણ તે ગામ ઉપરાંત બીજાં ૫૮ ગામે વધારીને કુલ ૧૨૬ ગામો આપ્યાં હતાં.૧૪ નાગરખંડની આ ઉક્તિ કલિપત હોવાનું કંઈ કારણ નથી. સુપ્રસિદ્ધ ચિનાઈ યાત્રાળુ હ્યયેનસંગના ઈ. સ. ૬૪૧ના યાત્રાવૃત્તાંતમાં કહેવામાં આવ્યું છે કે ભિન્નમાલની દક્ષિણે અને પૂર્વ માળવાની પશ્ચિમે પશ્ચિમમાળવાનું રાજ્ય હતું, જેની રાજધાનીનું નામ આપવામાં આવ્યું નથી, પરંતુ તે રાજધાનીનું નગર સાબરમતીને તીરે આવ્યું હતું. તે દેશ ઉપર કઈ ક્ષત્રિય રાજા રાજ્ય કરતો હતો. તે રાજ્યના તાબામાં આનંદપુર નામને ખંડિયે તાલુકે હતા, તે તાલુકાને કઈ १३. पुरं प्रकल्पयाभास बहुप्राकारसंकुलम् ।।१०॥ अथाष्टषष्टिविप्राणां तत्र मध्ये नृपोत्तमः । अष्टषष्टि गृहाण्येव चकार सुबृहति च ॥११॥ तथा कृत्वाऽय रत्नौद्यैः पुरयित्वा तथाऽरैः । ददीतेभ्योऽष्टषष्टिं च ग्रामाणां तदनन्तरम् ॥१३॥ ૧૪. અવુના સંબવામિ કા તવ રામવઃ | રૂ . तथा कोंपवशाद्यानि शासनानि द्विजन्मनाम् । लोषितानि त्वयान्यानि पितृपैतामहानि च ॥६॥ नच्छ्रत्वा पार्थिवः सोऽथ शंखतीर्थे प्रभक्तितः । स्नात्वा विप्रान्समाहृय मध्यगेन समान्वितान् ॥८॥ ददौ च शोसनशतं प्रक्षाल्य चरणांस्ततः । षड्विंशत्यधिक राजा नागराणां महात्मनाम् ॥१०॥ નાગરખંડ, અધ્યાય ૨૧૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132