Book Title: Mewadno Guhilo athva Guhilotpatti Mimansa
Author(s): Manshankar Pitambardas Mehta
Publisher: Manshankar Pitambardas Mehta
View full book text
________________
મેવાડના ગુહિલેઃ ૧૦૩ મુખી એક રાજા ન હતેા.૧૫ આનંદપુર તાલુકાને ઘેરાવ લગભગ ૨૧૦ માઈલને અને આનંદપુર ગામને ઘેરાવ લગભગ ૨૧ માઈલને હતેા.૧૬ અર્થાત્ ઈ. સ. ના ૭મા સૈકા સુધી આનંદપુરના નાગરે આખા તાલુકાના ગ્રાસીઆ હતા, તેઓનું મૂળ વતન આનંદપુર હતું. અને ત્યાં તેઓ એક સાથે રહેતા હતા. હુયેનસંગે તે દેશનું નામ માળવા કહ્યું છે, અને તેની રાજધાનીનું નામ આપ્યું નથી. નાગરખંડથી જણાય છે કે તે દેશનું નામ આનર્ત હતું, તેની રાજધાનીનું નામ સાબરમતીને તીરે આવેલું પ્રાપ્તિપુર (વર્તમાન પરાંતીજ ) હતું, જ્યાં ગર્તા તીર્થ નામનું એક સરોવર પણ હતું.૧૭ તે સિવાય વડનગરના નાગરમાં ચંદ્રચા, કુકડ, ગુલેચા વગેરે ૧૫૭ અવટંકે પ્રચલિત હતી.૧૮ રાજકોટ મ્યુઝિયમના કયુરેટર આચાર્ય વલ્લભજી હરિદત્ત એવું અનુમાન કરે છે કે તે સમયે વડનગરના નાગરે વડનગરની આસપાસ આવેલાં ૧૫૭ ગામોની જાગીર ખાતા હશે, તે ઉપરથી તેઓની તે અવટંકે પડી હશે.૧૯
24. Early History of India, by V. Smith, 2nd ed; pp. 304–7.
15. Beal's Buddhist Records of Western India, Vol. II, p. 268. १७. अथ प्रोचुर्जनास्तस्य देश आनत इत्यम् ।
अयं भूपालोऽच विख्यातः सुधर्मज्ञो बृहद्बलः ॥४४॥ एतत्प्राप्तिपुरं नाम एषा साभ्रमती नदी । गर्तातीर्थमिदं पुण्यमेतस्याः परिकीर्तितम् ॥४५॥
નાગરખંડ અધ્યાય ૧૨૫ ૧૮. ગંગાશંકર પાલીકૃત. નાગત્તિ , પૃ. ૨-૯ ૧૯ નાપર ત્રિમાસિક, પૃ. ૧, અં. ૪, ૫, ૭૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com