Book Title: Mewadno Guhilo athva Guhilotpatti Mimansa
Author(s): Manshankar Pitambardas Mehta
Publisher: Manshankar Pitambardas Mehta
View full book text
________________
મેવાડના ગુહિલ : ૫ વિના ગામે ગામે દીન દરિદ્રની જેમ રખડીને ઘેર ઘેર “ભિક્ષા દેહિ ” વ્રતનું સેવન કરી ગાડાંનાં ગાડાં ભરાય તેટલી ઐતિહાસિક સામગ્રીઓનો સંગ્રહ કરવામાં અને તે સામગ્રીઓ મહારાષ્ટ્રને અર્પણ કરવામાં પિતાનું અખિલ જીવન ગાળી નાંખ્યું છે.
તે દષ્ટાંત હિંદુસ્થાનના બીજા પ્રાંતમાંથી મળવાને સંભવ નથી. શ્રીયુત સાને, પારસનીસ અને સરદેસાઈ જેવા ઇતિહાસકારે તે દેશને અમૂલ્ય ઇતિહાસ ઘડી શક્યા છે, તે સઘળું રાજવડેની ઉગ્ર તપશ્ચર્યાનું પરિણામ છે. તે સિવાય દક્ષિણ, સંયુક્ત પ્રાંત અને પંજાબ પ્રાંતે પણ જાગ્રત થયા છે, અને પોતપિતાના દેશને ખરે ઈતિહાસ ઉપસ્થિત કરવાને માટે જોઈતી સામગ્રીઓ મેળવવા પૂરતો પ્રયાસ કરવા લાગ્યા છે. એક આપણે ગુજરાત પ્રાંત જ એ છે કે જેના વિદ્વાને ઇતિહાસના વિષયને માનની દૃષ્ટિથી જોઈ શકતા નથી. બંગાળાના ઈતિહાસકારોએ તે દેશના બ્રાહ્મણ તથા કાયસ્થાએ લખેલાં કુલશાસ્ત્રોને ખરા રૂપમાં મૂકી દીધાં છે, તે જ પ્રમાણે વિદ્વદ્વર્ય ગૌરીશંકર હીરાચંદ ઓઝાએ તે દેશના ભાટચારણોએ રચેલ રાસાઓ અને ખ્યાત તેમ જ રાજકવિઓએ રચલ સ્તુતિકાવ્યની નિઃસારતા અકાધ્ય દલીલોથી સિદ્ધ કરી છે. પ્રાયશઃ જેન ગ્રંથ ઉપરથી રચાયેલ આપણુ પ્રાંતના ઈતિહાસની પણ એ જ
૭. The Main Currents of Maratha History by G. S. Sirdesai, B. A., pp. 40-48.
૮. રાખલદાસ વધોપાધ્યાયકૃત બાંગલાર ઈતિહાસ, પ્રથમ ભાગ (બંગાળી) પૃ. ૩૦
૯. રાજપૂતાને કા ઇતિહાસ, ભૂમિકા પૃ. ૧૧-૨૫, ઇતિહાસ ભાગ પૃ. ૩૭૪૩૮૫-૨૯૭, ૫૧૬-૫૧૯,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com