Book Title: Mewadno Guhilo athva Guhilotpatti Mimansa
Author(s): Manshankar Pitambardas Mehta
Publisher: Manshankar Pitambardas Mehta
View full book text
________________
મેવાડના ગુહિલેા ઃ ૬૫
:
૯૭૭ના રાણા શક્તિકુમારના આટપુરના શિલાલેખ છે. તે લેખના પ્રથમ બ્લેકમાં જ મેવાડના ગુહિલેાના મૂલપુરુષ ગુરુદત્તને આનંદપુરને વિપ્ર કહ્યા છે. તે લેખને છઠ્ઠો લેાક નીચે મુજબ છે.
अविकलकलाधारो धीरः स्फुरद्वरलसत्करो । विजयवसतिः क्षत्रक्षेत्रं क्षताहतिसंहतिः || સમગનિ ના......પ્રતાપ તરકૂતો । विभवभवनं विद्यावेद नृपों नरवाहनः ॥
( · રાજપૂતાનેકા ઇતિહાસ, ' પૃ. ૩૭૮ ).
( અર્થાત્ ) ગુહદત્તથી ૧૮મી પેઢીએ અને બપ્પથી ૧૧મી પેઢીએ થઇ ગયેલ નરવાહનને ‘ સકલકલાસંપન્ન, ધૈર્યવાન, વીહુ, વિજયનુ ધામ, ક્ષત્રિયેાનુ ક્ષેત્ર ( ઉત્પત્તિસ્થાન ), શત્રુઓના સંહારક, વૈભવનું ભવન અને વિદ્યાની વેદી કહેલ છે.૬૪
ગ્રુહદત્ત અને અપ્પના વંશજ નરવાહનને ક્ષત્રિયાનું ઉત્પત્તિસ્થાન કહેલ છે, તેમાં કશી પણ વિપ્રપત્તિ નથી. ખપે ક્ષત્રિય ધમ ધારણ કર્યાં, ક્ષત્રિય કન્યાઓ સાથે લગ્ન કર્યાં, તેના વંશજો ક્ષત્રિયા કહેવાયા, તેમાં આશ્ચય જેવું શું છે? નરવાહનને લગાડેલ ક્ષક્ષત્ર પદ પ્રામાણિક અને તે જ સ્થળે ગુરુદત્તને લગાડેલ ત્રિત્રઝુહાનનો મહૌવન એ પદો અપ્રામાણિક એમ શા માટે ? વસ્તુતઃ મન્ને પદો સમાન પ્રમાણ છે અને સમુચિત પણ છે.
આ સ્થળે ક્ષેત્રક્ષેત્ર પદમાં ખાસ ધ્યાન ખેંચે તેવે મ રહ્યા છે. નરવાહનને ક્ષત્રિયાનુ બીજ કહેલ નથી, પણ ક્ષેત્ર
૬૪. Indian Antiquary, Vol.39 p. 191 તથા ટેડ રાજસ્થાનનું ગુરાતી ભાષાંતર, ( સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયનું સંસ્કરણ ), ભા. ૧ પૃ. ૬૫.
૫
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat