Book Title: Mewadno Guhilo athva Guhilotpatti Mimansa
Author(s): Manshankar Pitambardas Mehta
Publisher: Manshankar Pitambardas Mehta
View full book text
________________
મેવાડના ગુહિલોઃ ૭૯ વિદ્વદર્ય વૈદ્ય મહાશય ગુજરાતના સોલંકી વંશનું ગેત્ર પણ ભારદ્વાજ હતું, એમ ઠરાવે છે.૭૯ છતાં તે વંશના મૂલ પુરૂષ મૂલરાજ અથવા તેના પિતા રાજિ સાથે અવનિવર્માને શે સંબંધ હતું, તે દર્શાવવાની તકલીફ લીધી નથી. વસ્તુતઃ તેઓ વચ્ચે કંઈ સંબંધ હોવાનું એક પણ પ્રમાણ મળી આવતું નથી. તે કદાચ ગમે તેમ હોય પણ ગુજરાતના સોલંકી એટલે ચાલુક્ય વંશના રાજા કુમારપાલે પોતે ઈ. સ. ૧૧૫૨ માં વડનગરની પ્રશસ્તિ કેતરાવી છે. તે પ્રશસ્તિમાં તે પોતાના વંશના મૂલ પુરુષને બ્રહ્મદેવે પિતાના ચુલુકમાંથી ઉત્પન્ન કર્યો હતે, એમ સ્પષ્ટ લખ્યું છે.૮° છતાં તે લેખ ઉપર તેના જેવા સમર્થ અન્વેષકનું ધ્યાન કેમ નહિ ગયું હોય, તે સમજી શકાતું નથી.
~~
- એ પ્રમાણે જૂદા જૂદા લેખેની ઉત્પત્તિકથાઓ જૂદી જૂદી
છે. અલબત્ત, પિતપોતાના રાજાઓને પ્રસન્ન કરવાના હેતુથી કવિઓએ દોડાવેલા ક૫નાતરંગેનું તે સર્વ પરિણામ છે. પરંતુ તે સઘળી કથાઓમાંથી સાર એક જ પ્રાપ્ત થાય છે : ચાલુક્ય વંશને મૂલ પુરુષ માનવ્યગોત્રને એટલે મનુના વંશને
04 Mddiaeval History of Hindu India by C. V. Vaidya, Vol. III p. 199. ૮૦ કાચીન લેખમાલા, પુ. ૧, પૃ. ૧૮૧-૧૮૫.
गीर्वाणैवींतगर्व दनुजपरिभवान् प्रार्थितस्त्रायकार्थे । वेधाः संध्यां नमस्यन्नपि निजचुलके पुण्यगंगाम्बुपूर्णे ॥ सद्यो वीरं चुलुक्याव्हयमसृजमिदं येन कीर्तिप्रवाहैः । पूत त्रैलोक्यमेतन्नियतमनुहरत्येव हेतोः फलं श्रीः ॥२॥ वशस्यास्यप्रकाशनविधौ निर्मूल्यमुक्तामणिः ।
क्षोणीपालकिरीटकल्पितपदः श्रीमूलराजोऽभवत् ॥४॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com