Book Title: Mewadno Guhilo athva Guhilotpatti Mimansa
Author(s): Manshankar Pitambardas Mehta
Publisher: Manshankar Pitambardas Mehta

View full book text
Previous | Next

Page 112
________________ www રહ્યું છે, આ મનાવવા હો; અથવા તે શંકરન મેવાડના ગુહિલે : ૫ પ્રથમ અર્થ તે એ જ થઈ શકે છે કે તે પિતે શંકરના ઉપાસક સાથે સૂર્યનો પણ ઉપાસક હત; અથવા તેમ નહિ તો પિતાના વંશને સૂર્યવંશી મનાવવાની લાલસાથી પણ સૂર્યચિન્હ કેતરાવ્યું હોય ! પરંતુ તેટલા ઉપરથી અથવા દંતકથાઓની કેવલ હાસ્યજનક કપના ઉપરથી, આટપુરનો લેખ, રસિયારાજની છત્રીને લેખ, અચલેશ્વર મહાદેવના મંદિરનો લેખ, એકલિંગ મહાદેવ માહાસ્યમાન ઉલ્લેખ, કુંભલગઢનો શિલાલેખ, રસિકપ્રિયા ટીકામાંનો ઉલ્લેખ અને એકલિંગ મહાદેવના મંદિરને લેખ, એ સઘળા લેખો સમર્થ રાજાઓએ જાતે તૈયાર કરાવી પ્રસિદ્ધ કર્યા છે, અને તેમાં ગુહિલેના મૂળપુરુષને આનંદપુરના વિપ્ર અથવા વડનગરના નાગરે કહ્યા છે, શું તે જ કારણથી તે લેખેને અપ્રામાણિક ગણવામાં આવે છે? તેમ હોય તે તે સ્વમત ગ્રહની પરાકાષ્ઠા નથી? બીજા જે લેખોમાં મૂલપુરુષોના વંશજોનું ક્ષત્રિયત્વ નિદિષ્ટ કર્યું છે, તે લેખનું ઉપરના લેખ સાથે સાંકર્ય કરવાને અથવા તે લેખોની સામે ધરવાને ગમે તે હેતુ હોય, પણ તે હેતુનો સ્વીકાર તટસ્થ પરીક્ષક કરી શકશે નહિ. મૂલ પુરુષે વિપ્ર હોવા છતાં તેના વંશજો શા માટે ક્ષત્રિય કહેવાયા, તેઓના એક વંશજને શા માટે બ્રાહ્મણ કહેલ છે, તેની સવિસ્તર ચર્ચા તૃતીય તથા ચતુર્થ વિભાગમાં કરી છે. (જુએ, પાછળ) તેના સમર્થનમાં મંડેરના બ્રાહ્મણ પ્રતિહાર હરિશ્ચંદ્રને તથા ચૌહાણ વંશના મૂલપુરુષ અહિચ્છત્રવાસી વત્સ ગોત્રમ્પન્ન વિપ્ર સામંતના દષ્ટાંતે જોઈએ તેટલા મજબૂત છે. સકલ ચર્ચાનો સારાંશ એટલે જ છે કે–મેવાડના ગુહિલ વંશના મૂલપુરુષે વિજયાદિત્ય, ગુહદત્ત અને બમ્પરાવલ આનંદપુરના વિપ્રે એટલે વડનગરના નાગરે હતા. બમ્પરાવલથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132