Book Title: Mewadno Guhilo athva Guhilotpatti Mimansa
Author(s): Manshankar Pitambardas Mehta
Publisher: Manshankar Pitambardas Mehta
View full book text
________________
૮૮ : મેવાડના ગુહિલે
સ્થાન કહ્યુ છે. અંતિમ રાજા ક્ષેમકની સાથે તે વંશના પણ અંત આવશે, એમ પણ કહ્યું છે. શા માટે પૌરવવંશના બ્રહ્મક્ષત્ર કહ્યા છે ? શું તે વંશના પ્રત્યેક રાજામાં બ્રાહ્મણના તેમ જ ક્ષત્રિયના એમ ઉભયના ગુણા એક સાથે એકઠા થયા હતા? એમ ન હતું જ. પુરૂરવા, નહુષ, જન્મેજયાદિ રાજાઓને બ્રાહ્મણા સાથે, વર્તમાન કલિકાલને પણ ભૂલાવે, તેવા કલહા થયા હતા. વસ્તુતઃ તે વંશમાં થઇ ગયેલ દુષ્યંત અને શકું તલાના પુત્ર ભરત રાજાએ આંગિરસ ગાત્રાત્પન્ન ભરદ્વાજને દત્તક લીધેા હતા. તેના પુત્ર ભુવમન્યુ થયા. ભુવમન્યુના જયેષ્ઠ પુત્રની શાખામાં હસ્તિ, અજમીઢ, કુરૂ, કારવા પાંડવા વગેરે થયા; તેઓ સઘળા ક્ષત્રિયા કહેવાયા, અને તેઓ હસ્તિનાપુરના રાજ્યકર્તાએ થયા; કનિષ્ટ પુત્રો મહાવીય, નર અને ગગના વશમાં ક્યષણ, પુષ્કર, કવિ અને તેઓના વંશજો, સંસ્કૃતિ અને તેના વંશજો તેમ જ ગાર્ષ્યા થયા, અજમીઢના વંશમાં કણ્વ, મેધાતિથિ અને કાવવાયના, મુગ્ગલ અને મૌગ્નલાયને તથા મૈત્રેય અને મૈત્રાચણા થયા; તે સવે ક્ષત્રાપેત દ્વિજો એટલે ક્ષત્રિયમાંથી ઉત્પન્ન થયા છતાં બ્રાહ્મણેા કહેવાયા.૯૭ અહીં'યાં ક્ષત્રાપેત દ્વિજ' એટલે ‘ક્ષત્રિયમાંથી ઉત્પન્ન થયા છતાં બ્રાહ્મણ’ એવા જ અર્થ થાય છે, ક્ષત્રિય તેમ જ બ્રાહ્મણના ગુણુકમ થી યુકત એવા અથ કદિ પણ થતા નથી.
6
૨ ખીજે દ્રષ્ટાંત વિષ્ણુવૃદ્ધ અને રિતના છે. સૂર્યવંશી માંધાતા રાજાને પુત્ર પુરૂકુત્સ, તેને પુત્ર ત્રસદસ્યુ, તેને પુત્ર
૯૭. મત્સ્ય પુરાણુ અ. ૪૯ શ્લાક ૩૭-૩૮ તથા અ. ૫૦ ના Àાક ૫-૧૪ વાયુપુરાણુ અ. ૯૯; વિષ્ણુપુરાણુ અંશ ૪-૧૯-૯, ૧૦; ભાગવત સ્કંધ ૯ અ. ૨૧૬ વિશેષ ઉલ્લેખા માટે જુએ, Pargiter's Ancient Indian Historical Tradition pp. 243-252,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com