Book Title: Mewadno Guhilo athva Guhilotpatti Mimansa
Author(s): Manshankar Pitambardas Mehta
Publisher: Manshankar Pitambardas Mehta
View full book text
________________
૮: મેવાડના ગુહિલે
પહેલામાં વિપ્રત્વ દર્શાવનારાં પ્રમાણોને અને બીજામાં ક્ષત્રિય દર્શાવનારા પ્રમાણેનો સમાવેશ કરતાં, તેના સારાસારનું વિવેચન
કરવામાં આવશે. ૨. બીજા વિભાગમાં તેઓના વંશજોનું ક્ષત્રિયત્વ દર્શાવનાર
પ્રમાણેનો વિવેચનપૂર્વક સમાવેશ કરવામાં આવશે. ૩. ત્રીજા વિભાગમાં તે ભેદ પાડવાને માટે કારણે દર્શાવનાર
પ્રમાણેને સમાવેશ કરતાં, તેની વિરક્ષા સમજાવવામાં આવશે. ૪. અને ચોથા વિભાગમાં ગુહિલેની એક શાખાને પૃથક રાજકર્તા
બાલાદિત્યના શિલાલેખ મળી આવ્યો છે, તેમાં તેઓના મૂલ પુજ્ય ભટ્ટ પહેલાને બ્રહ્મક્ષત્ર કહ્યું છે, તેને તે સ્થલે શે ઉદ્દેશ છે, તેને ઊહાપોહ કરવામાં આવશે.
૩. પ્રથમ વિભાગ (૪) ગુહિલના મૂલ પુરુષનું વિપ્રત્વ દર્શાવનાર પ્રમાણે ૧. રાજા શક્તિકુમારના સમયને આટપુરને ઈ. સ. ૯૭૭ ની
સાલને શિલાલેખ ઉદયપુરથી દેઢ માઈલ દૂર આહાડ અથવા આટપુર નામનું ગામ છે. ૧૦ તે ગામના એક મંદિરમાંથી મેવાડના ગુહિલોના મૂલ પુરુષ ગુહદત્તથી ૨૦ મી પેઢીએ થઈ ગયેલ રાજા શકિત
૧૦. ગંગા નદી ઉપર બુલંદ શહેરથી ૨૧ માઈલ દૂર અથવા અન્ય શહેરથી ૭ માઈલ દૂર આહાર નામનું ગામ છે. તે ગામમાંથી ઈ. સ. ના નવમા અને દશમા સિકાના ચાર પાંચ શિલાલેખે મળી આવ્યા છે, તે ઉપરથી જણાય છે કે તે સમયે તે ગામનું નામ તત્તાનશ્વપુર એટલે આનંદપુર હતું. તે ગામ અને ઉપર્યુક્ત આહાડ ગામ – બંને જૂદા જૂદાં છે. માધુરી ( હિંદીમાસિકપત્ર) ફાલ્ગન, વિ. સં. ૧૯૮૪ પૃ. ૧૮૩–૧૯૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com