Book Title: Mewadno Guhilo athva Guhilotpatti Mimansa
Author(s): Manshankar Pitambardas Mehta
Publisher: Manshankar Pitambardas Mehta
View full book text
________________
મેવાડના ગુહિલે ઃ ૨૭ વંશને મૂલ પુરુષ બમ્પ તે નાગહૃદમાં કયાંથી આવ્યું, તેનું વર્ણન કર્યું છે તે બ્લેક નીચે પ્રમાણે છેઃ __ जीयादानन्दपूर्व तदिह पुर मलाखंडसौंदर्यशोभि ।
क्षोणीष्टमेव त्रिदशपुरमधः कुर्ददुच्चैः समृद्धया ॥ यस्मादागत्य विप्रश्चतुरुदधिमहीवेदिनिक्षिप्तभूमौ । २७
बवाल्यो वीतरागश्चरणयुगमुपासीत हारीतराशेः ॥ ९ ॥ આ શ્લેકમાં શાનપૂર્વ પુરે એ પદે ધ્યાન ખેંચે તેવાં છે. ઓઝાશ્રીએ તે પદે લક્ષમાં લીધાં નથી. તેનો અર્થ “જેની પૂર્વે આનંદ છે, તેવું પુર,” એટલે “આનંદપુર” જ થાય છે. આખા શ્લોકનો ભાવાર્થ એટલે જ છે કે
૧. બમ્પ વિપ્ર હતા. ૨. તે આનંદપુરમાંથી નાગહદમાં હારીતરાશિ પાસે આવ્યા, અને
તેમની તેણે સેવા કરી. તે જ રાણું સમરસિંહના સમયને તે સિવાય, આબુપર્વત ઉપર અચળેશ્વર મહાદેવના મંદિરમાંથી એક શિલાલેખ મળી આવ્યું છે. ૨૮ તે લેખની રચ્યાસાલ વિ. સં. ૧૩૪ર એટલે ઈ. સ. ૧૨૮૫ની છે. તે લેખની તેમ જ ઉપર્યુક્ત રસિયારાજની છત્રીના લેખની પ્રશસ્તિઓ રચનાર સમરસિંહને રાજકવિ પ્રિયપટને પુત્ર વેદશર્મા હતું. તેઓ જ્ઞાતિએ નાગર હતા. વેદશર્માએ તે સિવાય પણ બીજી બેત્રણ પ્રશસ્તિઓ રાણુ સમરસિંહ ની આજ્ઞાથી રચ્યાનું નોંધાયું છે. (લેક ૬૦-૬૧) તે ઉપરથી તે રાજકવિ હોવાનું સિદ્ધ થાય છે. રાણ સમરસિંહે પોતાના ગુરુ, પાશુપતાચાર્ય ભાવાગ્નિના શિષ્ય, નૈષ્ઠિક બ્રહ્મચારી ભાવ
20. Bhavanagar Inscriptiong, pp. 74–84.
૨૮. તે જ, પૃ. ૮૪-૮૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com