Book Title: Mewadno Guhilo athva Guhilotpatti Mimansa
Author(s): Manshankar Pitambardas Mehta
Publisher: Manshankar Pitambardas Mehta
View full book text
________________
૪૪ : મેવાડના ગુહિલે
છે. ૪૧ તેમાંથી નીચે પ્રમાણે પદ પ્રાપ્ત થયાં છે ?
अथेह श्रीमेदपाटदेशे । श्रीसूर्यवंशे महाराजाधिराज श्रीशीलादित्यवंशे । श्रीगुहदत्त राउल श्रीबप्पक श्रीखुमाणादिमहाराजान्वये ॥
તેને સાર એ જણાય છે કે ( ૧ ) શીલાદિય સૂર્યવંશી હતે. (૨) તેના વંશમાં ગુહદત્ત અને રાઉલ શ્રી બપ્પ થયા.
આ ઉપરથી મેવાડના ગુહિલવંશના મૂલપુરુષે સૂર્યવંશી હતા, એમ વિર્ય ઓઝાશ્રી ઠરાવે છે. (પૃ. ૩૮૨)
અહીં સ્પષ્ટ રીતે ગુહિલેના મૂળપુરુષે ગુહાદિત્ય અને બમ્પને શીલાદિત્યના વંશના કહ્યા છે. તે શીલાદિત્ય કેણ? આ શીલાદિત્ય તે ગુહાદિત્યથી પાંચમી પેઢીએ થઈ ગયેલ શીલાદિત્ય ન જ હોવો જોઈએ. જેનેની માન્યતા હતી કે, તે ગુહાદિત્ય વલભીપુરના છેલ્લા રાજા શીલાદિત્યની રાણું પુષ્પાવતીને પુત્ર હતું. તેને વડનગરની નાગર બ્રાહ્મણ કમલાવતીએ ઉછેર્યો હતો, અને તેણે ઈડરનું રાજય મેળવ્યું હતું. વલભીપુરને નાશ ઇ. સ. પરમાં કઈ વિદેશી રાજાએ કર્યો હતો, એમ જેના ગ્રંથેના આધારે કર્નલ ટેડે નક્કી કર્યું છે. ૪૨ તેઓએ આખી દંતકથાનું બહુ મનહર વર્ણન કર્યું છે. પરંતુ વિદ્વદ્વર્ય ઓઝાશ્રીએ તે દંતકથાના ચૂરેચૂરા કરી નાખ્યા છે. (“રાજપુતાનેકા ઇતિહાસ”૩૮૫-૩૮૯) તે યથાર્થ છે. વસ્તુતઃ વલભીતામ્રપત્રમાંના કેઈ પણ તામ્રપત્રમાં વલભી રાજાઓને સૂર્યવંશી કહ્યા
-
~*
~
-
~
~
-~
87. Bhavnagar Inscriptions, pp. 140-143.
૪૨ટેડકૃત રાજસ્થાનને ઇતિહાસ (ગુજરાતી) સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય નું ભાષાંતર ૫. ૧૯,
૪૩. તે જ, ફ, ૯-૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com