Book Title: Mewadno Guhilo athva Guhilotpatti Mimansa
Author(s): Manshankar Pitambardas Mehta
Publisher: Manshankar Pitambardas Mehta
View full book text
________________
મેવાડના ગુહિલેા : ૪૭
માલમાં એક અતિવિશાલ સાવર તેઓએ ધાબુ. અને તેનું નામ રાયસાગર અથવા રાયસમંદ પાડયું.૪પ વિ. સં. ૧૭૧૮ ઇ. સ. ૧૬૬૧માં તેનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને ત્યાર પછી ચાદ વર્ષે આખું સરોવર તૈયાર થતાં વિ. સ. ૧૭૩૨ ઇ. સ. ૧૬૭૭માં તેની પ્રતિષ્ઠા કરવામાં આવી. ૪૬ તે સરેવરની કેટલીક શિલા ઉપર તે રાજપ્રશસ્તિના બીજો અને ત્રીજો સ કાતરવામાં આવ્યેા.
તે સિવાય જૈન કવિ માને રાજવલાસ નામના એક બૃહદ્ ગ્રંથ હિંદી કાવ્યમાં રચી તૈયાર કર્યાં. તે બન્ને ગ્રંથામાં મેવાડના ગુહિલવશને રઘુવંશ સાથે મેળવી દેવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. આજ દિવસ સુધી રજપૂતાનાના ઇતિહાસ લખનારે તે ગ્રંથા ઉપર હુ આધાર રાખ્યો છે, તેથી જ તેનુ અત્ર કઇક સવિસ્તર વિવેચન કરવાની જરૂર પડી છે.
તે શિલા ઉપર પ્રથમ રાજપ્રશસ્તિને! બીજો સગ કાતરવામાં આવ્યે છે.'છ તેના બીજા શ્લેાકમાં ભાગવતના નવમા ધને અનુસરીને વિશ્વોત્પત્તિ કરનાર નારાયણથી બ્રહ્મદેવનુ વર્ણન કર્યા પછી ત્રીજાથી એકત્રીસમા લેાક સુધી વિવસ્વાન્( સૂર્ય )થી સુમિત્ર સુધી સૂર્યવંશી એકસા ખાવીશ રાજાઓનાં નામેા ગણાવ્યાં છે. તે સુમિત્રના પુત્ર વજ્રનાભથી સિંહરથ સુધી અગિયાર રાજાઓએ અયેાધ્યામાં રાજ્ય કર્યું" એમ કહેવામાં
૪૫. ટાડકૃત રાજસ્થાનના ઇતિહાસ ( ગુજરાતી ) સસ્તું સાહિત્યવર્ધ ક કાર્યાલયનું સંસ્કરણ, ભાગ ૧ પૃ. ૨૩૯-૪૦
૪૬. ભાવનગર ઇન્સ્કીપશન્સ, ૫. ૧૪૭ સગ બીજો, શ્લોક ૩૮ને અતે ગુજરાતી ઉલ્લેખ.
૪૭. તે જ રૃ, ૧૪૫–૧૫૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com