Book Title: Mewadno Guhilo athva Guhilotpatti Mimansa
Author(s): Manshankar Pitambardas Mehta
Publisher: Manshankar Pitambardas Mehta
View full book text
________________
૬૨ : મેવાડના ગુહિલે રીતે મહાદેવ અને દેવીના અનુગ્રહથી બમ્પને ચિતડનું રાજ્ય મળ્યું. આખી દંતકથાનો નિષ્કર્ષ દિવાનશ્રીએ નીચે પ્રમાણે એક જ દુહામાં આપે છે:
आद्य मूल उत्पत्ति ब्रह्म विण खत्री जाणां । आणंदपुर सिंगारनगर आहार वखाणां ॥
| ( પૃ. ૩૮૨ ). (અર્થાત) “ મેવાડના ગુહિલોની મૂળ ઉત્પત્તિ આનંદપુરના બ્રાહ્મણથી થઈ છે.' એમ તેઓએ સ્પષ્ટ કર્યું છે.
બંને કથાઓને નિષ્કર્ષ તે એક જ છે. જેને એ વલભી રાજા શીલાદિત્ય સાથે ગુહદત્તનું બેસાડેલું એકઠું કેવલ નિષ્ફળ ગયું છે. તેનું મિથ્યાત્વ પ્રથમ આ ગ્રંથમાં યુક્તિપુર:સર સિદ્ધ કરવામાં આવ્યું છે. એટલે અહીં તેનું પિષ્ટપેષણ કરવાની જરૂર નથી. એટલું જ કહીને વિરમીએ છીએ કે મેવાડના ગુહિલાના મૂલપુરુષ ગુહદત્તને વલભીપુરના કેઈ પણ રાજા સાથે કોઈ પણ પ્રકારને સંબંધ હતો નહિ. વલભીપુરનો નાશ ઈ. સ. ૧૨૪માં નહિ, પણ ઈ. સ. ૭૭૫માં થયો હતો. | ગુહદત્તને કાળ મોડામાં મેડ ઈ. સ. ૧૬૬ ગણાય છે. તે સમયે વલભીપુર ઉન્નતિના શિખરે પહોંચ્યું હતું. છતાં બંને કથાઓમાંથી એક જ પ્રકારને ધ્વનિ ફુરે છે. ગુહદત્તને મૂલ પુરુષ વડનગરને નાગર બ્રાહ્મણ વિજયાદિત્ય હતો, તેના વંશજ ગુહદત્ત નાનું સરખું રાજ્ય મેળવ્યું; તેને પુત્ર બપ્પ થયે; બમ્પ સુધીના વિજયાદિત્યના વંશજો બ્રાહ્મણ ધર્મ પાળતા હતા. મેવાડના નાગહદ ગામ પાસે આવેલ એકલિંગ મહાદેવ ઉપર તપશ્ચર્યા કરનાર નાથસાધુ હારીતરાશિના અનુગ્રહથી બમ્પને ચિતોડના રાજ્યની પ્રાપ્તિ થઈ. ગુહદત્ત ઉપરથી તેના વંશજ
જ્યની રાજ હારીતરાશિનોર મહાદેવ ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com