Book Title: Mewadno Guhilo athva Guhilotpatti Mimansa
Author(s): Manshankar Pitambardas Mehta
Publisher: Manshankar Pitambardas Mehta
View full book text
________________
૪૦ : મેવાડના ગુહિલેા
એ અપ્પુને ક્ષત્રિય મનાવ્યો, તે ખપ ક્ષત્રિય રાજાઓની કન્યાએને પરણ્યા, તેના વંશજો ક્ષત્રિયા ગણાય, તેમાં આશ્ચર્ય શુ છે ? તે વંશના આશ્રિત સાધુએ તે વંશને રધુવંશ સાથે મેળવી દે અને આખા દેશમાં જયાં જયાં જાય, ત્યાં ત્યાં તેઓ તેની તેવી જ ચેાષણા કર્યાં કરે, તે પણ તેટલું જ સ્વાભાવિક છે. આ લેખ લખાવવાના શા ઉદ્દેશ હતા ? શ્લાક ૧૭ અને ૧૮ થી જણાય છે કે જૈન સાધુએ અને નાથસાધુએ વચ્ચે ધર્મવાદ થયે હતા. તે વાદમાં નાથસાધુના આચાય વેદાંગમુનિના વિજય થયે હતા, તે વિજયના સ્મારક માટે તે વેદાંગમુનિના શિષ્ય, આદિત્યનાગના પુત્ર, આમ્ર-કવિએ પ્રશસ્તિ રચી; તે પ્રશસ્તિ મંદિરના નિર્માતા નાથસાધુ સુપૂજિતરાશિ અને તેના શિષ્યા શ્રી માર્તંડ, શ્રી ભ્રાતૃપુર, શ્રી સદ્યારાશિ, લૈલુક, અને શ્રી વિનિશ્ચિતરાશિએ તે મદિરની શિલામાં કેાતરાવી, એમ લેખના છેવટના ભાગ ઉપરથી સબલ અનુમાન થાય છે. તે લેખ કાતરાવવામાં કે પ્રશસ્તિ રચાવવામાં રાણા નરવાહનના બિલકુલ હાથ ન હતા. નાથસાધુઆએ પેાતાના આચાય નું ગુણગાન કર્યું છે. સાથે સાથે પેાતાના આશ્રયદાતા રાજકર્તાઓની પણ સ્તુતિ ગાઇ છે. તેવા લેખ ઉપર આધાર રાખવા, તે ઉચિત નથી. છતાં આધાર રાખવામાં આવે, તેપણુ તે ઉપરથી મૂલપુરુષનું ક્ષત્રિયત્વ ખિલકુલ સિદ્ધ થઈ શકતું નથી.
૨. રાણા સમરસિંહનાં માતુશ્રી જચતલદેવીને શ્યામ પાર્શ્વનાથમદિરના શિલાલેખ
ખીજું પ્રમાણ રાણા સમરસિંહનાં માતુશ્રી જયતલદેવીના વિ. સ. ૧૩૩૫ ઇ. સ. ૧૨૭૮ના શિલાલેખનુ છે. રાણા સમરસિંહે ઈ. સ. ૧૨૭૪ના ચિતાડના શિલાલેખ તથા ઇ. સ. ૧૨૮૫ના અચળેશ્વર મહાદેવના શિલાલેખમાં ખપને સ્પષ્ટ રીતે વિપ્ર
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat