Book Title: Mewadno Guhilo athva Guhilotpatti Mimansa
Author(s): Manshankar Pitambardas Mehta
Publisher: Manshankar Pitambardas Mehta
View full book text
________________
૨૬ : મેવાડના ગુહલેા
છે કે-આટપુરના લેખનાં વિવાદગ્રસ્ત પદ્માના અર્થાતરો કરી, તે લેખના મૂળ આશય ઉડાવી દેવાને કઇ સબલ કારણા નથી; તેને બીજા ઘણા લેખાની પુષ્ટિ મળે છે. તે સઘળા લેખાની સમાલેાચના હવે શરૂ કરીએ.
૨. રાણા સમરસ’હના શિલાલેખા
:
૧. રસિયારાજની છત્રીને ૨. અચળેશ્ર્વર મદિરને શક્તિકુમારથી એકવીશમી પેઢીએ રાણા સમરસિંહ પણ મહાપ્રતાપી રાજા થઇ ગયેલ છે. તેણે ઈ. સ. ૧૨૭૩થી ઇ. સ. ૧૩૦૩ સુધી રાજ્ય કર્યું હતુ. દિલ્હીમાં તે સમયે મુસલમાનાનું રાજ્ય પૂરેપૂરૂં સ્થાપિત થયું હતું. ગુલામ વંશના સુલતાન ગ્યાસુદ્દીનથી માંડી ખીલજીવંશના સુલતાન અલાઉદ્દીન સુધી પાંચ બાદશાહેા તેના સમકાલીન હતા. ( રાજપૂતાનેકા ઈતિહાસ, પૃ. ૪૭૫–૪૮૩ ). તેએએ ચિતાડનું રાજ્ય જીતી લઇ ખાલસે કરવા તનતેડ મહેનત કરી હતી. તેએની સામે સમરસિંહે એક હાથે પૂરેપૂરી ટક્કર ઝીલી હતી. તેઓના સમયના એ શિલાલેખા પ્રાપ્ત થયા છે, જેમાં મેવાડના ગુહિલેાની અપ્પથી સમરસિંહ સુધીની વંશાવિલ આપી છે. તે પૈકી એક લેખ ચિતાડના દરવાજા પાસે આવેલ રસિયારાજની છત્રીમાંથી મળી આવ્યે છે. તેની રચ્યાસાલ વિ. સં. ૧૩૩૧ એટલે ઈ. સ. ૧૨૭૪ની છે. તે લેખના છઠ્ઠા શ્લાકમાં મેદપાટ(મેવાડ)તું અને આઠમા શ્ર્લાકમાં નાગદનુ ૨૬ વÖન કર્યાં પછી ગુહિલ
૨૬. ઉદયપુરથી તેર માઇલ દૂર કૈલાસપુરી નામના ગામમાં રાણાના ઇષ્ટદેવ એકલિંગજી મહાદેત્રનુ મદિર છે. તે મ ંદિરથી ઘેાડે દૂર નાગહૃદ અયા નામડા ગામ આવ્યુ છે. પૂર્વે તે ગુહિલરાજાએની રાજધાનીનું નગર હતું. ( રાજપૂતાનેકા ઇતિહાસ, પૃ. ૩૩૧-૩૩૮)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com