Book Title: Mewadno Guhilo athva Guhilotpatti Mimansa
Author(s): Manshankar Pitambardas Mehta
Publisher: Manshankar Pitambardas Mehta
View full book text
________________
મેવાડના ગુહિલે : ૧૩ સમરસિંહ રાજાની ચિતોડની રસિયારાજની છત્રીના લેખમાંના જે લોકોને આધાર આપે છે, તે શ્લોકો નીચે પ્રમાણે છે.
अस्मिन्नागहृदाव्हयं पुरशिलाखंडावनीभषणं । प्रासादावलिविभ्रमरुपहसच्छुभ्रांशुकोटिश्रियं ॥ मुक्ताप्रौडमिवक्षितेः श्रिय इव प्रासादपंकेरुहं । क्रीडाभनिरिख स्मरस्य शशिनः शय्यैव पीयूषजा ॥ ८ ॥ जीयादानन्दपूर्व तदिह पुरनिलाखंडसौन्दर्यशोभि । क्षोणिसृष्टस्थमेव त्रिदशपुरमधः कुर्बदुच्चैः समृद्धया ॥ यस्मादागत्य विप्रश्चतुरुदधिपहीवेदिनिक्षिप्तयूपो ।
बप्पाख्यो वीतरागश्चचरणयुगमुपासीत हारीतराशेः १४ ॥ ९ ॥ [ આ મેદપાટ દેશમાં ઇલાખંડની ભૂમિના ભૂષણરૂપ નાગહદ એટલે નાગડા ગામ આવેલું છે. જે નગર મહાલયની ભુલવણી જેવી હારની હારથી શશિશ્ચંગની શોભાને ઉપહાસ કરે છે, જે નગર પૃથ્વીનું જાણે મોટું મોતી હેય નહિ, કમળની જેમ લક્ષ્મીનું ધામ હેય નહિ, કામદેવની ક્રીડાભૂમિ હોય નહિ, ચંદ્રમાની અમૃતોત્પન્ન થયા હોય નહિ, તેવું તે શોભતું હતું; તેમ જ ત્યાં આવેલ લાખંડના સૈન્દર્યને પણ સન્દર્ય આપનાર આનંદપૂર્વપુર એટલે આનંદપુર જય પામે ! તે નગર પૃથ્વી ઉપર રહ્યા છતાં પિતાની વિપુલ સમૃદ્ધિથી દેવલોકને પણ શરમાવતું હતું. તે નગસ્માંથી ચાર મહાસાગરમાં આવેલી પૃથ્વી ઉપર જેણે યજ્ઞસ્તંભ રોપ્યો હતો, તેમ જ જે રાગદ્વેષથી મુક્ત થયો હતો, તેવો બમ્પ નામનો બ્રાહ્મણ આવીને હારીતરાશિના ચરણયુગની સેવા કરવા લાગ્યો. ]
હારીતરાશિ ક્યાં તપશ્ચર્યા કરતા હતા? સમરસિંહ રાજાના અચલેશ્વર મહાદેવના મંદિરના શિલાલેખમાં કહ્યું છે કે –
98. Bhavnagar Inscriptions, p. 74-75.
૧૫. Bhavnagar inscriptions, p. 85. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com