Book Title: Mayanrekha Ilachikumar Dhanya Ahimsa
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 10
________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૮ બધી વાત વિસ્તારીને કરીને કહ્યું, “હે પૂજનીય દેવતા, એક ભવમાં બે ભવ કરવા કરતાં, તમારા ચરણમાં મૃત્યુ વાંછું છું.' મણિચૂડ મુનિએ પુત્રને ઉપદેશ આપ્યો. કહ્યું કે સંસારમાં સૌંદર્ય અને સંપત્તિ-કંચન અને કામિનીનો જે વિવેક નહીં કરે, એનું કદી કલ્યાણ નહીં થાય. વિદ્યાધર રાજાની આંખ ખૂલી ગઈ. એણે મયણરેખાને પોતાની બહેન કરીને માની. એણે કહ્યું, બોલ, બોલ બહેન, હું તારું શું કામ કરું, જેથી મારું પાપ ધોવાય.' ભાઈ, તું પુણ્યશાળી છે. તને ખરે વખતે ઉપદેશ લાગ્યો. સવળી મતિ સૂઝી. મારું મન મારા નાના બાળને જોવા ઝંખી રહ્યું છે.' બંને ચાલ્યાં મિથિલા ભણી. મિથિલાની શી વાત ! મયણરેખા તો પોતાની જિંદગીનો વિચાર કરે છે, ત્યાં થયો વૈરાગ્ય. અરે, હવે આ માયામાં વળી કાં લપટાઉ. કોનાં છોરું-કોનાં વાછરું, ચાલ, મારા જીવનું કલ્યાણ કરું. એણે વિદ્યાધર રાજાને સમજાવી ત્યાં ને ત્યાં સાધ્વીપદ સ્વીકારી લીધું. નામ રાખ્યું સુવ્રતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36