Book Title: Mayanrekha Ilachikumar Dhanya Ahimsa
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 32
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૮ * * * મેલ છે. હવે આબરૂભેર પાટણમાંથી નીકળી જવું જોઈએ.’ તરત બે કાળા ઘોડા તૈયાર કરાવ્યા. કાળા લૂગડે ને ખાલી હાથે વિમળશાહ ને શ્રીદેવી બહાર નીકળ્યાં. આખા ગામમાં હાહાકાર થઈ રહ્યો. મહારાજા ભીમદેવના વફાદાર સરદાર સામંતસિંહે મહારાજાને ખરી ખરી સુણાવી : “અરે, વીરને આમ કમોતે મરાય? મોકલો એને કોઈ રણમેદાનમાં. રાજા, તમારી શોભા ઝાંખી થાય છે.' મહારાજા સમજ્યા. એમણે ફેરવી તોળ્યું. વિમળશાહને તેડાવ્યા ને કહ્યું : “અમે તમારી સેવાથી ખુશ છીએ. તમારું દેણું માફ કરીએ છીએ, પણ એક કામ કરો. ચંદ્રાવતીનો રાજા ધંધૂક ખૂબ માથાભારે છે. એને શિક્ષા કરો ને વહીવટ તમારા હાથમાં લઈ લો.” વિમળશાહ કાંઈ ન બોલ્યા. કેટલાક દિવસો પછી તેઓ ચંદ્રાવતી પર ચડાઈ લઈ ગયા. પાટણ એ દિવસે છોડ્યું તે છોડ્યું. ચંદ્રાવતીના રાજા ધંધૂકરાજને વિમળશાહની ચડાઈના ભણકારા વાગી ગયા. એ હતો તો માળવાના મહારાજા ભોજનો મિત્ર, પણ વિમળશાહે ચડાઈ એટલી ઝડપથી કરી કે એનાથી કાંઈ ન થયું. એણે દરવાજા ખુલ્લા મૂકી દીધા. પોતે નાસી ગયો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36