Book Title: Mayanrekha Ilachikumar Dhanya Ahimsa
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 30
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨-૮ ૨ ભાવલિ : ઝાંખી પડે.” શું કહો છો ? ચાલો ત્યારે જોવા જઈએ.” મહારાજાએ કહ્યું, ને વિમળશાહને કહેવરાવ્યું કે આજે મારે તમારા મહેમાન બનવું છે. ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય ! ભોળા વિમળશાહ તો રાજીના રેડ થઈ ગયા. વિમળશાહનું મકાન એટલે કળા, સુંદરતા ને શિલ્પનો ભંડાર. વળી શ્રીદેવી જેવી આદર્શ પત્ની, એટલે વ્યવસ્થાનું પૂછવું શું ? વળી નગરશેઠે ભારે કરકરિયાવર કરેલો. આ રિદ્ધિ-સિદ્ધિ જોઈ મહારાજા ભીમદેવની આંખ ફાટી ગઈ. પડખિયાઓએ ચઢાવ્યા : કોઈ દિવસે પાટણની ગાદી પચાવી ન પાડે. આખું લશ્કર પણ એની પાછળ ઘેલું છે. પૈસો ને લશ્કર, બે કબજામાં હોય પછી શું બાકી રહે? કાચા કાનનો રાજા ભોળવાઈ ગયો, પણ સામે પગલે કોઈ વિમળશાહનો સામનો ન કરી શકે. એક જીવલેણ કાવતરું યોજાયું. ભર્યા દરબારે સહુ બેઠા હતા, કે અચાનક બૂમ પડી, “અરે, વાઘ છૂટ્યો !” વાત ખરી હતી. શિકારમાં પકડી આણેલો વાઘ પાંજરામાંથી છૂટ્યો હતો, ને ખાઉં ખાઉં કરતો ધસતો આવતો હતો. બીજા બધા તો ભાગ્યા, પણ બહાદુર વિમળશાહ કાંઈ ભાગે ? એ તો સામે પગલે ગયા. પોતાનો ખેશ ડાબા હાથ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36