Book Title: Mayanrekha Ilachikumar Dhanya Ahimsa
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 22
________________ રેo જેને બાલગ્રંથાવલિ શ્રેણી ૨૮ માથા પર બેડાં આબાદ ! લોકો આ જોઈ આશ્ચર્ય પામી ગયા. રાજા હમણાં ઇનામ આપશે, હમણાં ઇનામ આપશે એવી રાહ જોવા લાગ્યા, પણ રાજા કંઈ બોલે નહિ ! ઇલાચીએ ત્રીજો ખેલ શરૂ કર્યો. પગે બાંધી કટારો અને તે કટારોની અણીભેર દોરડા પર ચાલવા લાગ્યો. લોકો આ જોઈ રાજી થઈ ગયા, પણ રાજા ન બોલે ઉં કે ન બોલે ચું. કેમ વારુ ! શું આવા ખેલ રાજાને પસંદ નહિ પડતા હોય? - ના રે ! ના. રાજા તો આ વખતે બીજો જ વિચાર કરે છે. તેણે નીચે ઊભેલી પેલી નટકન્યાને જોઈ છે. તેના રૂપમાં મોહી પડ્યો છે. તે એમ વિચાર કરે છે કે આ નટ જો દોરડા પરથી પડીને મરી જાય તો આ કન્યાને પરણી શકાય. માટે કરવા દોને ખેલ. એમ કરતાં જોઈએ પડે છે અને મરે છે ! નટકન્યા નીચે ઊભી વિચાર કરે છે: “અહો ! ઇલાચીએ મારા માટે માતાપિતાને છોડ્યાં. રિદ્ધિસિદ્ધિ છોડી. પોતાને હાથે અનેકને દાન દેતો તે આજે દાન લેવા હાથ લાંબો કરે છે. હવે રાજા પ્રસન્ન થઈને એને ઇનામ આપે તો સારું. મારા પિતા તેની સાથે જલદી મારાં લગ્ન કરે અને હું તેની સાથે સુખમાં રહી દિવસો પસાર કરું.” ઇલાચી દોરડા પરથી નીચે ઊતરી રાજાને પગે લાગ્યો. રાજા કહે : “નટરાજ! તમે બહુ ચતુર છો, પણ મેં તમારો ખેલ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36