Book Title: Mayanrekha Ilachikumar Dhanya Ahimsa
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 20
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨૮ :.:.:.:.:. . અદ્ભુત ! કોઈ પણ જાતના ટેકા સિવાય દોરડા પર ચાલ્યા જવું ને મોટા કૂદકા મારવા ! પગે શીંગડાં કે જમૈયા બાંધીને દોરડા પર ચાલ્યા જવું! ત્યાર બાદ જનાવરોને લડાવવાની તથા બીજી પણ ઘણી રમતો શીખ્યો. ગામેગામ તે નટ લોકો સાથે ફરે છે ને પોતાની કળા બતાવે છે. પેલી નટકન્યા પણ સાથે જ છે. ઇલાચીને તેના પર અપાર પ્રેમ છે. જાણે જળ ને માછલી ! ચાતક ને મેહ! એને જોયા વિના ઘડી ચેન પડતું નથી ! નટકન્યાને પણ તેના પર અપાર પ્રેમ થયો છે. જેણે પોતાને માટે ઘરબાર છોડ્યાં, વૈભવ છોડ્યો, તેના પર પ્રેમ કેમ ન થાય? પણ હજી તેમનાં લગ્ન થયાં નથી, થાય તેમ નથી. ઇલાચી જ્યારે કોઈ રાજાને રીઝવી નાત જમાડે ત્યારે જ લગ્ન થઈ શકે એમ છે ! ' આ વાતને બાર બાર વર્ષનાં વહાણાં વીતી ગયાં. હવે ઇલાચીકુમાર રાજાને રીઝવી શકે એવી નવિદ્યા શીખી ગયો છે. તેણે વિચાર કર્યો : “લાવ, હવે બહેનાતટ નગર જાઉં ને ત્યાંના રાજાને રીઝવું.” અને બધા નટો ગામનગરો વટાવતાં બહેનાતટ નગરે ગયા. ઇલાચીએ રાજાની મુલાકાત લીધી. રાજા કહે, “પધારો નાયક ! તમને જોઈ આનંદ થયો. અહીં તમારી બધી વિદ્યા બતાવો. જો અમારું મન રીઝવશો તો તમને મોટું ઇનામ આપીશ.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36