Book Title: Mayanrekha Ilachikumar Dhanya Ahimsa
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 19
________________ ઇલાચીકુમાર - જ્યાં જવા માટે ડગલું ભર્યું ત્યાં માબાપ યાદ આવ્યાં : અહા ! વહાલી માતા ! પ્રેમાળ પિતા ! તે જાણશે કે ઇલાચી નાસી ગયો છે તો તેમને કેવું દુ:ખ થશે ! માટે આવી રીતે ચાલ્યા તો ન જવું.' તે પાછો ફર્યો. ત્યાં તો દિવસે જોયેલી નટકન્યા યાદ આવી : “અહા કેવું રૂપ ! ગમે તેમ થાય, પણ આ કન્યાને તો પરણું. માબાપને થોડા દિવસ દુઃખ તો થશે, પણ પછી બધું વીસરી જશે. ચાલ જઈને નટલોકોને મળું !” આમ વિચારી ઇલાચી ચાલવા મંડ્યો. નટના ટોળાને જઈ મળ્યો. નટલોકો વહેલા ઊઠી એ નગરમાંથી ચાલ્યા ગયા. ઇલાચીએ બધો પોશાક બદલી નાખ્યો. મલમલના કડકડતા અંગરખાની જગ્યાએ ગજીનું જાડું લઠ્ઠ કેડિયું પહેર્યું રેશમી ધોતિયાને બદલે જાડો મજાનો ચોરણો પહેર્યો. માથેથી મૂલવંતી પાઘડી ઉતારી મોટું બધું ફીંડલ વીંટ્યું. ગળામાં નટલોકો જેવી માળાઓ પહેરી. ગઈ કાલનો ક્રોડાધિપતિનો પુત્ર આજે બરાબર નટ બની ગયો. તેણે ધીમે ધીમે નટવિદ્યા શીખવા માંડી. ઊંધી ને ચત્તી ગુલાંટો ખાવી. એક પગે કૂદકા મારવા ને પગે વાંસ બાંધીને ચાલવું. આ કંઈ જેવુંતેવું કામ નહિ ! પણ ઇલાચીના દિલમાં કામ શીખવાનો ભારે ઉમંગ છે, એટલે એક વરસમાં એ બધું શીખી ગયો. પછી શીખ્યો દોરડાની રમત. કેવી સુંદર ! કેવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36