Book Title: Mayanrekha Ilachikumar Dhanya Ahimsa
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
View full book text
________________
મયણરેખા
મિથિલાનો રાજવી નમિરાજ ભારે પરાક્રમી થયો છે. એણે ઘણા દેશો જીત્યા છે. એના હાથી, ઘોડા ને વૃષભ પૃથ્વીના પટ પર રોકટોક વગર વિચરે છે.
એક વખત તેનો સુંદર હાથી ફરતો ફરતો રાજા ચંદ્રયશાની હદમાં આવ્યો. ચંદ્રયશાના સિપાઈઓ તેને યુક્તિથી પકડીને રાજધાનીમાં લાવ્યા. રાજાએ તેને હાથીખાને બંધાવ્યો. શું સુંદર હાથી ! આખી હાથીશાળા એનાથી શોભી ઊઠી.
નમિરાજને ખબર પડી. મારા હાથીને ચંદ્રયશા રાજાને ત્યાં બાંધ્યો છે. એણે સંદેશો મોકલ્યો કે હાથી અમારો છે, માટે પાછો આપો નહીંતર સુદર્શનપુર ધૂળભેગું થશે.
આ સાંભળી રાજા ચંદ્રયશાને ક્રોધ ચડ્યો. તેણે જવાબ આપ્યો; “બહુ બોલવામાં સાર નથી. નહીં તો જે હાથીની દશાં થઈ તે તમારી થશે.”
નમિરાજે આ જવાબ સાંભળ્યો, ને નગારે ધાવ દીધો. પોતાનું લશ્કર તૈયાર કર્યું ને સુદર્શનપુર પર ચડાઈ કરી. ચંદ્રયશાએ જાણ્યું કે નમિરાજનું લશ્કર આવે છે, એટલે નગરના દરવાજા બંધ કરી દીધા. કાંગરે કાંગરે બાણાવળી મૂકી દીધા.
ઘેરો ઘણા દિવસ ચાલ્યો, પણ સામાસામી લડાઈ થઈ નહીં. રાજા ચંદ્રયશા ઘેરાથી કંટાળી ગયો છે. નગરના દરવાજા ઉઘાડી કેસરિયાં કરવાની તૈયારી કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36