Book Title: Mahavir Parmatmani Pratham Deshna
Author(s): Vijayramchandrasuri, Sudhanshuvijay
Publisher: Sureshchandra Nemchandra Shah

View full book text
Previous | Next

Page 15
________________ ત્રણ લોકના નાથ એવા પણ એ તારકે, દુન્યવી સઘળી જ સાહ્યબીને ત્યાગ કર્યા પછીથી પણ, પિતાની પૂર્વની ભાવનાને અમલ કયારે કરે છે, એ જાણે છે? એ તારકને સ્થાપવાનો માર્ગ સામાન્ય કટિને હેત નથી. એ તારકેએ સારાય વિશ્વના છના કલ્યાણની ભાવનામાં રમણ કરેલું હોય છે. આથી માર્ગ પણ એ સ્થાપ જોઈએ, કે જે માર્ગ એ ભાવનાને અનુરૂપ હોય. અમુક જ રીતિએ વર્તવાને એકસરખે માર્ગ જ જે એ તારકે સ્થાપે, તે સૌમાં તે માર્ગને અમલ કરવાનું સામર્થ્ય કયાંથી હોય? સૌમાં એકસરખું સામર્થ્ય ન હોય, તો પછી શું સામર્થ્યહીન જી માર્ગની આરાધનાથી વંચિત જ રહે? નહિ, સામર્થ્યહીન પણ આરાધના કરી શકે, એ માર્ગ જ એ તારકો બતાવે. જેમાં માર્ગની આરાધના કરવાની હોય, તેઓ સામર્થ્ય સંપન્ન હોય કે સામર્થ્યહીન હોય તે છતાં પણ, સૌ કોઈ આરાધના કરી શકે તે માર્ગ એ તારકોને સ્થાપવાનો હોય છે. તે માર્ગ મામુલી જ્ઞાનના બળે ન સ્થપાય. એ માટે તે સંપૂર્ણ જ્ઞાન જોઈએ. આથી જ ભગવાન શ્રી જિનેશ્વરદેવ કેવલજ્ઞાનને ઉપાજ્ય વિના ધર્મતીથની સ્થાપના કરતા નથી. ગૃહસ્થજીવનમાં વિરકિત અજોડ અને ત્યાગીજીવનમાં અપ્રમત્તતા અજોડ : કેવલજ્ઞાનને ઉપાર્જવાને માટે એ પરમ તારક ઉત્કટ કેટિની તપશ્ચય આદિ જે કાંઈ આવશ્યક હોય તેને અપ્રમત્તપણે આચરે છે. એ પરમ તારકે સંસારની અપૂર્વ કેન્ટિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48