Book Title: Mahavir Parmatmani Pratham Deshna
Author(s): Vijayramchandrasuri, Sudhanshuvijay
Publisher: Sureshchandra Nemchandra Shah

View full book text
Previous | Next

Page 40
________________ ધરવા છતાં પણ જેઓ મહાવ્રતની ભાંગફોડ કરી નાખે છે, તેઓ દુર્ગતિને પામે તેમાં નવાઈ પામવા જેવું નથી. જેઓ મહાવ્રતોને સ્વીકારે અને સારી રીતિએ પાળે, તેઓ સદાને માટે વંદનીય છે. એમને વન્દનીય માનનારાઓએ તેવી દશાને પામવાને શક્ય પ્રયત્ન કરવો જોઈએ. એ ન પળાય તે આ જીવન એળે જાય છે એમ માનવું જોઈએ. આવી મનવૃત્તિ પ્રગટે, તે આજે જે કાંઈ ઉત્સવ કર્યો છે તે સફળ બને. નહિતર તો, આવા દિવસે ઘણા આવે, પણ કલ્યાણ થાય નહિ! આજે કલ્યાણકને દિવસ છે અને કલ્યાણને માર્ગ શો છે એ આપણે જોયું. કલ્યાણના કામી આત્માઓએ એ માર્ગને અનુસરવાને પ્રયત્ન કર, એ તેમની ફરજ છે. સૌ કઈ કલ્યાણના માર્ગને સમજે, કલ્યાણના માર્ગ પ્રત્યે આદરવાળા બને અને કલ્યાણના માર્ગને સેવનારા બનીને કલ્યાણને પામે, એ જ આજના કલ્યાણકના દિવસની કલ્યાણકામના છે. 88 www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48