Book Title: Mahavir Parmatmani Pratham Deshna
Author(s): Vijayramchandrasuri, Sudhanshuvijay
Publisher: Sureshchandra Nemchandra Shah
View full book text
________________
મહાપુરૂષોએ મહિને કેવી રીતિએ માર્યો એ સમજીએ, તે એ સામર્થ્ય મેળવવાનું મન થાય. મેહને મારવાનું મન થાય અને તેવું સામર્થ્ય ક્રમે ક્રમે પ્રાપ્ત કરાય, એટલે ઘરમાં બેઠેલા તમે અને નિર્ચન્થ એવા અમે થોડે-વધતે અંશે પણ મોહને કૂટે કાઢવાનો પ્રયત્ન કરીએ. શ્રી તીર્થકરદેવને જેવી રીતે પિછાનવા જોઈએ, તેવી રીતિએ પિછાનીએ એટલે મોહની સાથે સંગ્રામ ખેલવાનું મન થયા વિના રહે નહિ. શ્રી જિનને સેવક, મેહની સાથે સંગ્રામ ખેલનારે હોય. મેહ જે જે જાતિની સામગ્રી ખડી કરે, તેને અવસર આવે તે ભેગવવા આદિ છતાં અને મેહની સાથે રહેવું પડે તે રહેવા છતાં પણ, શ્રી જિનને સેવક મેહની સાથે રહેવામાં નામોશી સમજે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માના સેવક બનવું હશે, તો મોહના મિત્ર નહિ રહેવાય. આપણે જે મોહના મિત્ર હેઈએ, તે આપણને તે કલંક રૂપ લાગવું જોઈએ. ભગવાન અન્તિમ જીવનની કઈ પણ અવસ્થામાં મેહના મિત્ર હતા જ નહિ. તે તારકનું બાલજીવન જોઈએ, યુવાન જીવન જોઈએ કે રાજ્યજીવન જોઈએ-ક્યાંય મેહ સાથે મિત્રતા નહોતી. તે તારકના બાલજીવનનું, યુવાનજીવનનું અને રાજજીવન આદિનું પણ મહાપુરૂષોએ વિસ્તારથી વર્ણન કર્યું છે–તે એક જ હેતુથી કે–બાલકાલની ક્રીડા કરતાં ય એ તારક મેહ સાથેને સંગ્રામ ચાલુ હતો, યુવાનવયે ભેગે જોગવતાં ય એ તારકેને મોહ સાથે સંગ્રામ ચાલુ હતું અને અનગારજીવનમાં તે મેહ સાથે સંગ્રામ ચાલુ હોય તેમાં તે કહેવાપણું હેાય જ શાનું ? એ દષ્ટિએ જ ભગવાન શ્રી મહાવીર પરમાત્માનું આખું જીવન જેવા જેવું છે. ભગવાન
11 www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat