Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ ગુજરાતી વિભાગ, પાઠ્યપુસ્તક મંડળ, મુંબઈ) તથા ઍલિફન્સ્ટન કૉલેજના ભૂતપૂર્વ પ્રાધ્યાપક અને વિદ્વાન વડીલ શ્રી ભૂપેન્દ્રભાઈ ત્રિવેદીનો પણ સાભાર ઉલ્લેખ કરે છે. વિદ્યાલયના જ એક અંગ સમા અને દરેક કાર્યમાં હંમેશા મદદરૂપ થતા વિદ્યાલયના આસિ. રજીસ્ટ્રાર શ્રી નટુભાઈ શાહના સક્રિય સહકાર બદલ તેમનો આભારી છું. વિદ્યાલયના અન્ય કર્મચારીઓનો પણ સહકાર મળ્યો છે તેની પણ નોંધ લઉં છું. વિદ્યાલયના સર્વે પદાધિકારીઓ અને કાર્યવાહક સમિતિના સભ્યોના સહકાર અને પ્રોત્સાહન માટે તે સર્વેનો આભારી છે. અંતમાં હું ગ્રંથના વાચકો, સમીક્ષકો અને સમગ્ર જૈન સમાજને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે અમારા આ પ્રયાસમાં કયાંય પણ ક્ષતિ રહી ગઈ હોય તો અમને ઉદારભાવે દરગુજર કરશો. જયજીનેન્દ્ર - સી. એન. સંઘવી સંયોજક, અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ