Book Title: Kathasahitya 4 Ragvirag
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay
View full book text
________________
ભિક્ષા D ૨૨૩ નંદનસમાં તેમના બનેવી ધન્નાશા શેઠ ! એમના ભોગ, વિલાસ અને વૈભવની તરેહ તરેહની વાતો લોકોમાં શતમુખે ગવાતી ! એમના વૈભવ-વિલાસ આગળ રાજામહારાજાઓના વૈભવો પણ ફીકા લેખાતા !
સાત માળની મેડી ઉપરથી નીચે ઊતરી જેણે કદી દુનિયાની શકલ-સૂરત પણ નહોતી જોઈ, રાજા શ્રેણિકને ઓળખવા જેટલી પણ જેને તમન્ના ન હતી, જે રાતદિવસ અપાર સુખમાં જ મગ્ન રહેતા હતા, જેની અતિ કોમળ કાયા ટાઢ-તડકાને પિછાનતી પણ ન હતી – આજે લોકો વાત કરતા હતા કે – એ બેય શ્રીમંત મહાનુભાવો પોતાની અપાર ધનદોલત અને વૈભવ-
વિલાસનો ત્યાગ કરીને ભગવાન મહાવીરના શ્રમણસંઘમાં દાખલ થવાના હતા. અપાર ધનવૈભવ એમને મન તણખલાના તોલે થઈ પડ્યો હતો.
સહજ રીતે ગળે ન ઊતરે એવી આ વાત હતી ! પણ ?
– પણ સ્વપ્નમાં પણ જેની કલ્પના ન આવી હોય તેવી વાત સાચી થતી ક્યાં નથી અનુભવાતી ?
આ વાત પણ એટલી જ સાચી હતી ! “પોતાના માથે પણ પોતાની પાસે જવાબ માગી શકે એવો શ્રેણિક જેવો સ્વામી હયાત છે, આટઆટલા અપાર ધન અને વૈભવ વચ્ચે પણ પોતે પોતાનો માલિક નથી.” – એ હકીકત શાળીભદ્રના આત્માને સખત ફટકો લગાવ્યો. અને એનો સૂતેલો આત્મા, સિંહની જેમ, જાગી ઊઠ્યો. પોતાની પરાધીનતાનું ભાન તેને અકળાવવા લાગ્યું. સ્વાધીનતા નહીં તો કશું જ નહીં ! એનું દિલ આ સ્વાધીનતાની શોધમાં સર્વસ્વ ફના કરવા તૈયાર થયું.
અને એક ધન્ય પળે તેમણે એ પરાધીનતાના અંચળાને ફગાવી દેવાનો નિશ્ચય પણ કર્યો ! જ્યાં જરાય પરાધીનપણું વેઠવું પડતું ન હોય એવી આત્મસાધનાના માર્ગે વિચરવાનો તેમણે સંકલ્પ કર્યો ! અને એ કમશ્ર આત્માને ધર્મશૂર થતાં જરાય વાર ન લાગી. તેમની સંસારી વાસનાઓ ઝાકળની જેમ અદૃશ્ય થઈ ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266