Book Title: Katha Ratna Kosa Part 1
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 265
________________ - -- - - ---------- -- ૨૨૯ જયચંદ્ર રાજા પાસે લેખ લઈ આવેલા બે પુરુષો. : કથાન–કેષ : જરૂર હોય તે તે પુસ્તકને ભણવા માટે આપવાં વા ભણનારની કઈ પણ પ્રકારની અગવડતાઓ જ્ઞાન લેવાની ઉચિત પ્રકારની બધી સગવડ કરી આપવી એ જ્ઞાનદાનનું મોટામાં મોટું લક્ષણ છે. જે મનુષ્ય પોતે જાતે જ્ઞાન નથી આપી શકતે પરંતુ ભણનારાઓને-જ્ઞાન લેનારાઓને એ પિતે, ઔષધ, વસ્ત્ર, અન્ન વગેરે ભણવામાં પિષણ અને ઉત્સાહ પ્રેરે એવી વસ્તુઓ આપે છે તે પણ પરમાર્થતઃ જ્ઞાનને જ દાતા છે. આ બાબત વધારે કહેવાથી શું ? જ્ઞાનના દાનથી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી મુક્તિ મેળવી શકાય છે. આ વિશે અહીં “ધનદા” નું ઉદાહરણ છે. મગધ દેશના છેગા સમાન રાજગૃહ નામે નગર છે. શેષનાગની વિશાળ ફણા ઉપર રહેલા મણિ ઉપર જેમ યર-અન્ય કોઈ આક્રમણ કરી શકતું નથી તેમ એ રાજગૃહ નગર ઉપર પર-શત્રુઓ આક્રમણ કરી શકતા નથી. સ્વર્ગમાં બુધ અને ગુરુ વસે છે તેમ આ રાજગૃહ નગરમાં પણ બુધ્ધ-ડાહ્યા માણસ અને ગુરુ-ધર્મગુરુ વસેલા છે તથા એ નગર ઉપર બધા લેકેને અનુરાગ છે એવું એ પ્રાસાદિક અને મનોહર છે. તે નગરમાં, હૈહયકુલરૂપ આકાશમાં ચંદ્ર જે, પિતાના શત્રુઓની સ્ત્રીઓને આતંક પેદા કરનાર, ભુવનને આનંદદાયી એ “જયચંદ્ર નામે રાજા છે. શ્રી કૃષ્ણની જેમ કમળા ભાર્યા છે તેમ તે રાજાને કમલાવતી નામે સહજ નેહવાળી ભાર્યા છે. તેઓને બે પુત્ર છે. વિજયચંદ અને ચંદ્રસેન, એ બન્ને પુત્ર પુરુષેચિત બધી કળાઓમાં પ્રવીણ છે, અને શોર્ય, ઔદાર્ય, દાક્ષિણ્ય વગેરે અનેક ગુણેથી સુશોભિત છે. તે બન્ને ભાઈઓ એક જ માને પેટે જમેલા છે, સગા ભાઈઓ-સહદરો છે છતાંય કર્મષને લીધે તે બન્ને પરસ્પર એક બીજાને સાંખી શકતા નથી–અસહનશીલ છે અને હું મટે, હું મટે ” એવા અભિમાનવાળા છે. એ રીતે પરસ્પરના સંકલેશવડે તેમના દિવસે વીતે છે બીજે કઈ દિવસે રાજા સભામાં બેઠેલ હતું. રાજપુત્ર, મંત્રીઓ, સામત અને નગરના બીજા પ્રધાન પ્રધાન નાગરિકે પોતપોતાને ઉચિત સ્થાને બેઠેલા હતા તે વખતે દ્વારપાળે આવીને રાજાને વિનંતી કરીઃ “હે દેવ ! લાંબા માર્ગ ઉપર નિરંતર ચાલવાને લીધે થાકી ગયેલા જણાતા, બે પુરુષે હાથમાં લેખ લઈને એકદમ આપનું દર્શન ઈચ્છે છે. આપને મળવા માંગે છે.” રાજા બેઃ તે બનેને એકદમ મારી પાસે મેકલી આપે. દ્વારપાળ તે બનેને રાજાના પાસે લઈ ગયો. તે બન્ને રાજાને પગે પડ્યા, લેખ આપે. રાજાએ પિતે જ લેખને વાંચ્યું. એમાં લખ્યું હતું કે – વસ્તિ. મગધની ભૂમિ માટે ચંદ્રસમાન શીતળ એવા જયચંદ્ર મહારાજને, "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336