Book Title: Katha Ratna Kosa Part 1
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 304
________________ -- - - * કયારન-કાષ : સુજય રાજવીની દાનશીલતાનું વર્ણન. જેને વધારે દેવું જોઈએ તેને પણ હું ઘણું જ ઓછું આવું છું તથા લોકો પાસેથી પણ બધે જ કર વસુલ કરું છું. આમ છતાંય આમ એકસામટા મારા ધનભંડાર અને ધાન્યભંડારે કેમ આટલા જલદી ખાલી થઈ ગયા? વળી, તેને એમ વિચાર આવ્યો કે કદાચ મેં વધારે પડતું અનુચિત દાન દઈ દીધું હોય અથવા એવા બીજા બેટા ખર્ચા કર્યા હોય તેને લઈને મારા ભંડારે ખાલી થઈ ગયા હોય ? એમ વિચારીને રાજા સુજયે શ્રીગૃહપારિગાહિક (ભંડારને વ્યવસ્થાપક)–રાજભંડારી ભાનુદત્તને પિતાની પાસે બેલા. રાજાએ એ રાજભંડારીને પૂછ્યું કે–અરે ! બીજા બીજા ખર્ચની તે વાત પછી કરીએ, પણ તું મને પહેલાં તે એ જ બતાવ કે આ વર્ષે તારી પાસે મેં તેને કેટલું દેવરાવ્યું? રાજભંડારી બે દેવ ! સાંભળે. ચેદી દેશના રાજાને વશમાં લાવી આપનાર એવા “લક્ષવીર’ નામના વીર પુરુષની શૂરવીરતા જોઈ રાજી થયેલા આપે તેને દસ કેડ સેનૈયા અપાયા. લક્ષ્ય વીંધવું ભારે કઠણ પડે એવા રાધાવેધને કરી બતાવનાર નેપાળદેશના રાજપુત્રને આપે સંતુષ્ટ થઈને બે કેડ સેનૈયા અપાવ્યા. જ્યારે પ્લેચ્છ રાજા ઉપર જ્ય મેળવ્યું ત્યારે આપને બંદિજનેએ ખૂબ ખૂબ બિરદાવ્યા અને તેથી ખુશી થયેલા આપે તેમને આઠ કેડ સેનૈયા અપાવ્યા. આપની રાજસભામાં દક્ષિણી કુશળ ગવૈયા આવ્યા હતા, તેમના સંગીતથી શરુ થઈને આપે તેમને ચૌદ કેડ સેનૈયા અપાવ્યા હતા. એક વાર આપની સભામાં વિવિધ પ્રકારની ઇજાળવિધા કરી બતાવનાર સંવર નામને એક ભારે જાદુગર આવ્યું હતું, તેના હેરતભર્યા જાદુના ખેલેથી આપ વિસ્મય પામ્યા અને ખુશી થઈને આપે તેને નવ કેડ સેનૈયા અપાવ્યા હતા. કેઈ એક પ્રવાસી પથિકે આવીને પંચમસ્વર ગાઈ બતાવ્યો હતો, તેથી ખુશ થઈને આપે તેને પાંચ કેડ સેનૈયા અપાવ્યા હતા. કેરલી-કેરલ દેશની નર્તિકાઓએ આપની પાસે આવીને વિવિધ પ્રકારનું નર્તન-કૌશલ કરી બતાવ્યું હતું, તેથી સંતોષ પામી આપે તેને આખું શરીર શણગારી શકાય એવાં એક કેડ સેનૈયાના ઘરેણું અપાવ્યાં હતાં. જ્યારે આપને અજીર્ણને લીધે જવર આવે ત્યારે તે જવરને મટાડનાર વૈવને તુરત જ આપે આઠ ક્રોડ સેનૈયા આપીને પૂજા કરી હતી. આ સિવાય પરચૂરણ પરચૂરણ જે કાંઈ આપે દેવરાવ્યું છે તે બધું મળીને અઠ્ઠાવીશ કોડ સેનૈયા વપરાયા છે અને આ રીતે કુલ બધું થઈને પંચાસી કોડ સેનિયા ખર્ચાયા છે. આ પ્રમાણે બધે મેટ માટે વર્ષના ખર્ચને આંકડે રાજાને જણાવીને તે બુદ્ધિમાન ભાનુદત્ત ભંડારી બોલ અટકી ગયે. આ સાંભળીને ચિત્તમાં સંતાપ પામેલો રાજા કહેવા લાગે અને કેવાક દાતાર છીએ વા અમે કેટલુંક દઈ દીધું છે ? કે જેથી આટલા દેવ-દાન-વડે પણ અમારા ધન અને ધાન્યના ભંડાર ખાલી થઈ ગયા. આજે પણ એ વાત સમજાય છે કે કેટલાક મહા "Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336