Book Title: Katha Ratna Kosa Part 1
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 270
________________ ઃ કથાન–કેગ : ચંદ્રસેને શિવાલ પાસે મૂકેલા પિતાના જાસુસે. પ્રધાનેએ વિચાર ચલાવ્યું, અને તેઓએ રાજપુત્રને કહ્યું તમે જે કહે છે તે સાચું છે માટે શૈવાલ રાજાની પરિસ્થિતિ સમજવી જોઈએ અને તે માટે આપણા અત્યંત વિશ્વાસુ ચાપુરુષને તેને ત્યાં મેકલવા જોઈએ. તે ગુપ્તચરે ત્યાં જઈને શિવાલ રાજાની પાસે હાથી, ઘોડા, વગેરેની કેટલી સામગ્રી છે? સામંતો તેના અનુરાગી છે કે તેનાથી નાખુશ છે? તેની પાસે જવાને અને બેસવાને કર્યો સમય છે? તેના કિલ્લાઓમાંથી તેમ જ જલમાર્ગોમાંથી નીકળવાના અને તેમાં પેસવાના ક્યા ક્યા ખાસ માગે એગ્ય છે? એ બધું જાણી લાવે અને પછી તે પ્રમાણે સામ ભેદ, દામ અને દંડ વગેરે નીતિશાક્ત ઉપાચને શવાલ રાજા ઉપર અજમાવવા. આ બધી મંત્રીઓએ કહેલી હકીકત રાજપુત્રે સ્વીકારી. હવે શૈવાલ રાજાની બધી પરિસ્થિતિ જાણું લેવા વિવિધ પાખંડીઓના વેશ લઈને તૈયાર થયેલા એવા ગુપ્ત ચરપુરુષને શવાલની પાસે મોકલ્યા. તેમને એક તો સામવેદપાઠી બને અને તે રાજાને પુરોહિત થઈને રહ્યો, બીજે મંત્રવાદી થઈને ગયે અને તેણે રાજાને ત્યાં સંધિવિગ્રહકની જગ્યા સ્વીકારી, ત્રીજે વળી નૈમિત્તિક થઈને પહોંચે અને તે પ્રધાનને ત્યાં ચુંટ્યો. ચેાથે જેશી બની રાજાની પાસે જ રહ્યો. આમ આ ચારે કુશળ ગુપ્તચરે શિવાલને ત્યાં જઈ પિતપોતાના કામમાં લાગી ગયા. એ ચારે, સમયાનુસારે ક્યાં કેમ બોલવું તે બરાબર સમજનારા હતા. મુખ વગેરેના આકારને ભાવ અને ઇગિત વગેરેના સંકેતોને સમજવામાં પણ વિશેષ કુશળ હતા તથા તેમનું હૃદય કેઈ નિપુણ પુરુષ પણ ન જાણું શકે એવા તેઓ ગંભીર હતા. એવા એ ચારે ચરન પિતપોતાની પ્રવૃત્તિમાં સાવધાનીથી પ્રવર્તતા, થોડા જ દિવસમાં રાજા, પ્રધાન વગેરેના એવા અંતરંગ માણસ જેવા બની ગયાજાણે તેઓ તેમને ત્યાં પરંપરાથી જ રહેતા ન આવ્યા હોય એમ તેઓને લાગ્યું. પિતપિતાની પ્રવૃત્તિઓને જનો યથાર્થ હેવાલ તે ચારે ગૂઢચર, બીજા પિતાના ગુપ્તચર દ્વારા રાજા ચંદ્રસેનને રેજ ને રોજ મોકલવા લાગ્યા અને આ રીતે દિવસે ઉપર દિવસે જવા લાગ્યા. રાજપુત્ર ચંદ્રસેનને મંત્રીઓએ કહ્યું આપણું અને શત્રુના બળની-સેના વગેરેનીશક્તિની તુલના ક્યાં પછી યુદ્ધ વગેરેની વિશેષ પ્રવૃત્તિ શરુ કરવી એગ્ય ગણાય. જ્યાં સુધી એ કામ ચાલે છે ? તે દરમિયાન અને રાજા શિવાલ તરફ કે પ્રકારને વિશેષ ઉદ્યમ કરવાને-યુદ્ધ વગેરેની પ્રવૃત્તિને સમય આવતાં સુધી આપણે એ રાજા શૈવાલના બહારના પ્રદેશ ઉપર હુમલો કરવા જોઈએ. એમ કરવાથી એ પ્રદેશને ભગવટે કરનારા સામંત વગેરે આપણી સેવામાં આવશે અને તેથી શૈવાલ રાજા ઉપર પણ એક પ્રકારનો હુમલે લઈ જવાય છે એમ પણ થશે. ત્યારપછી રાજકુમાર ચંદ્રસેને એ પ્રદેશ ઉપર શીઘગી જોડેસ્વારે મોકલ્યા અને તે પ્રદેશને લૂંટી લેવા માંડ્યા અર્થાત પ્રદેશોમાં આવેલાં ગામ અને નગરોમાં લૂંટ ચલાવવા માંડી. પોતાના તાબાના પ્રદેશ ઉપર હુમલે થયેલે જાણું "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336