Book Title: Karmayoga 1 Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જતાં જે કર્મો થાય છે, તે કર્મબંધને માટે થતાં નથી. પણ ઉલટા જે કમ્મશુરા–તે જ ધર્મેશુરા” અને આમ જે દ્રઢ પ્રતિજ્ઞ બની “વા રાષ્ટ્રગામ-વાં પાતમિ ' એ સૂત્રને પિતાનું કર્મસૂત્ર બનાવી કાર્યમાં નિઃસંદેહ કર્મયોગી બની વહ્યા જાય છે, અને અડગપણે નિયમિત રીતે, ઉતસાહને ખંતથી નિષ્કામ બુદ્ધિ સહિત પંથે રહે છે, તે કાર્યમાં વિજય મેળવે છેજ. આત્મામાં અમેઘ શક્તિ રહેલી છે. આ વિશ્વમાં તમે જે ધારે તે મેળવી શકે તેમ છે. વિશ્વશાળાનાં ગુપ્ત જ્ઞાનના બારણાં ઠેક, જો કે તે ગમે તેવાં વજ જેવાં હશે તો પણ ધર્ય, ખંત ઉત્સાહ ને બુદ્ધિથી તુર્તજ ખુલી જશે. ત્રિભુવનનું સામ્રાજ્ય તમે આત્મિક પ્રવૃત્તિથી, મજબુત મને બળથી, અને સતત સદુઘમથી મેળવી શકશો. કારણ વિજયી થવું, ઇચ્છિત મેળવવું, એ સોને જન્મસિદ્ધ હક્ક છે. જ્યાં ગમે તેટલી આફત છતાં ભીતિને લેશ પણ અંશ ન હોય, વિનેથી કાયરતાને અવકાશ ન હોય, ત્યાં વિજય છેજ. કાર્યની સિદ્ધિમાં કદાપિ પણ ભય પામ જોઈએ નહિ. સ્વફરજને અદા કરતાં જે મનુષ્ય નિર્ભય છે તેજ ખરે કગી છે. ખરા કર્મયોગીઓ તે પોતાના સાધ્ય બિન્દુને લક્ષ્યમાં રાખી કાર્ય કરેજ જાય છે. અને કર્મયોગી-નિષ્કામ કર્મગીની ચહ્નમાં ઇશ્વરી પ્રકાશ વહે છે, અને તેથી તેની આંખથી માનવ જાત અંજાઈ જાય છે. મનુષ્ય જ્યાં છે ત્યાં માર્ગ કરી શકે છે. માનવ હૃદયમાં સર્વ બ્રહ્માંડ ઉકેલવાની શક્તિ રહેલી છે, પણ તેને ફક્ત કેળવીને પ્રકાશમાં લાવવાની જ જરૂર છે. સર્વ તીર્થકરે, સિદ્ધિ અને સાધી જનારાઓ ફક્ત નાક દાબીને “થવાનું હશે તે થશે-પ્રારબ્ધમાં હશે તે બનશે? આવા નિર્માલ્ય વિચારો સેવી બેસી રહ્યા નહોતા, પણ સ્વકાર્યમાં મંયા જ રહ્યા હતા. તપ, જ્ઞાન સાધન, પરિશ્રમ, ઉપદેશ, પરોપકાર, વિહાર અને સંયમમાં જરા પણ શિથીલતા નહિ થવા દેનાર, રાગદ્વેષને પૂર્ણપણે જીતી લેનાર, સમગ્ર વિશ્વને નિજ સમુ લેખી તેને માટે ઝુઝનારજ સાધ્ય સાધી શક્યા હતા. માનવશક્તિ અપરિમિત છે. કારણું તે મહાસમર્થ આત્માને સ્વામી છે. સ્વર્ગનું સામ્રાજ્ય તેની અંદર સમાયેલું છે. પણ મરજી પ્રમાણે વૈભવ ભોગવવાથી થતા આ નંદ કરતાં આતમસંયમથી વધુ આનંદ થાય છે. તું હને પીછાન” “હારે જેવા થવાની ઇરછા છે, તેજ તું છે.' એ સૂત્રને સત્ય પ્રતીતિપૂર્વક લક્ષ્યમાં રાખવાનું છે. સર્વ ધર્મો કળે છે કે “God is within, The Kingdom of God is within, Know thyself, and you will Get what you wish. Have faith.” “પ્રભુ અંદર છે. પ્રભુનું સામ્રાજ્ય અત For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 1026