Book Title: Jinbhakti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 141
________________ ૧૧૬ જિનભક્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૫-૨૬ (૩) મહાશ્રાવકને મનોયોગપ્રધાન પૂજા હોય છે. તેઓ સ્વશક્તિ અનુસાર કાયાથી ઉત્તમ સામગ્રી મેળવીને, વચનથી અન્ય પાસેથી દૂરનાં ક્ષેત્રોમાંથી ઉત્તમ સામગ્રી મંગાવીને, અને મન દ્વારા નંદનવનાદિમાંથી ઉત્તમ પુષ્પાદિ મેળવીને ભગવાનની ભક્તિમાં તન્મય બનીને નિરતિચાર પૂજાની ક્રિયા કરે છે. મહાશ્રાવકને ફલાવંચકના બળથી મનોયોગસારા પૂજા હોય છે. I॥૨૫॥ અવતરણિકા : પૂર્વશ્લોકમાં ત્રણ પ્રકારની પૂજા બતાવી. એ ત્રણ પ્રકારની પૂજામાંથી કઈ પૂજા કઈ રીતે થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે - - શ્લોક ઃ आद्ययोश्चारुपुष्पाद्यानयनैतन्नियोजने । अन्त्यायां मनसा सर्वं सम्पादयति सुन्दरम् ।।२६।। અન્વયાર્થ: આદ્યો:=આદ્ય બે પૂજામાં, ચારુપુબાઘાનયનંતત્રિયોનને=ચારુ પુષ્પાદિનું આનયન, અને એમાં=ચારુ પુષ્પાદિના આનયનમાં, નિયોજન છે અર્થાત્ પ્રથમ પૂજામાં સુંદર પુષ્પાદિનું સ્વયં આનયન છે, અને બીજી પૂજામાં સુંદર પુષ્પાદિને લાવવાના વિષયમાં પરપુરુષનું નિયોજન છે. સત્ત્તાવા=અંત્યમાં= ત્રીજી પૂજામાં, મનસા=મન દ્વારા, સર્વ સુન્દરમ્ સમ્પાવતિ=સર્વ સુંદર સંપાદન કરે છે=સર્વ સુંદર સામગ્રી સંપાદન કરે છે. ||૨૬ શ્લોકાર્થ ઃ આધ બે પૂજામાં ચારુ પુષ્પાદિનું આનયન, અને એમાં=ચારુ પુષ્પાદિના આનયનમાં નિયોજન છે અર્થાત્ પ્રથમ પૂજામાં સુંદર પુષ્પાદિનું સ્વયં આનયન છે, અને બીજી પૂજામાં સુંદર પુષ્પાદિને લાવવાના વિષયમાં પરપુરુષનું નિયોજન છે. અંત્યમાં=ત્રીજી પૂજામાં, મન દ્વારા સર્વ સુંદર સંપાદન કરે છે=સર્વ સુંદર સામગ્રી સંપાદન કરે છે. II૨૬ાા નોંધ :- શ્લોકમાં “વારુપુષ્પાદ્યાયનેર્તાત્રયોગને” એ પ્રથમા વિભક્તિનું દ્વિવચન છે અને તેમાં ‘પારુપુબાદ્યાનયન'નો કાયયોગસારા પૂજા સાથે સંબંધ છે અને ‘ત્રિયોનને’ નો વાગ્યોગસા૨ા પૂજા સાથે સંબંધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170